Astrology News : ક્યારે છે રક્ષાબંધન? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Raksha Bandhan Date : એવું કહેવામાં આવે છે કે, ભાઇ-બહેનનો સંબંધ સૌથી વધુ સુંદર હોય છે. આ પ્રેમ નિઃસ્વાર્થ અને પવિત્ર હોય છે. રક્ષાબંધનનો તહેવાર ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર છે. આ દિવસે બહેન ભાઇના કાંડા પર રાખડી બાંધે છે. આ સાથે તેઓ ભાઇના સુખ સમૃદ્ધિની કામના કરે છે.

ભાઈ પણ તેની બહેનને વચન આપે છે કે, તે હંમેશા તેની સાથે રહેશે અને તેનું રક્ષણ કરશે. જોકે, બદલાતા સમય સાથે તહેવારની ઉજવણીની રીતમાં પણ બદલાવ આવ્યો છે. હવે પ્રેમના તાંતણાથી બનેલી રાખડી માત્ર ભાઈના કાંડા પર જ નહીં, પરંતુ બહેનના હાથ પર પણ બાંધવામાં આવી રહી છે.

 Rakshabandhan 2023

બહેન પણ તેમની બહેનને રાખડી બાંધે છે, સમગ્ર જીવન પ્રેમ અને સહાયતા આપવાનું વચન આપે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે. કારણ કે, દર વર્ષની જેમ આ વખતે પણ તેની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે.

રક્ષાબંધન 2023 ની ચોક્કસ તારીખ શું છે? - રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની છેલ્લી પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ગત વર્ષની જેમ આ વખતે પણ રક્ષાબંધન એક નહીં, પરંતુ બે દિવસ ઉજવાશે. વાસ્તવમાં આ વખતે રાખડીના તહેવાર પર ભદ્રાનો પડછાયો છે.

આવી સ્થિતિમાં રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત 30 ઓગસ્ટની રાત્રિથી શરૂ થશે, જે બીજા દિવસે સવાર સુધી ચાલશે, તેથી વર્ષ 2023માં રક્ષાબંધનનો તહેવાર 30 અને 31મી ઓગસ્ટ એમ બંને દિવસે ઉજવવામાં આવશે.

રક્ષાબંધન 2023 ના શુભ મુહૂર્ત

  • શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ શરૂ થાય છે - 30 ઓગસ્ટ, 2023 રાત્રે 10.58 કલાક
  • પૂર્ણિમાની તારીખ સમાપ્ત થાય છે - 31 ઓગસ્ટ, 2023 સવારે 7.5 કલાક
  • રક્ષાબંધનની તારીખ - 30 અને 31 ઓગસ્ટ, 2023

ભાદ્રા સમય

  • ભદ્રા શરૂ થવાનો સમય - 30 ઓગસ્ટ 2023 સવારે 10.58 કલાક
  • ભદ્રા સમાપ્ત થવાનો સમય - રાત્રે 9:01 કલાક (30 ઓગસ્ટ 2023)
  • રાખડી બાંધવાનો શુભ સમય - 30 ઓગસ્ટ, 2023 રાત્રે 9.01 થી 31 ઓગસ્ટ 2023 સવારે 7.05 કલાક
 Rakshabandhan 2023

રક્ષાબંધનનું મહત્વ

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ શુભ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે. જેના બદલામાં ભાઈ તેની બહેનને ભેટો આપે છે અને તેને કાયમ માટે રક્ષણ આપવાનું વચન આપે છે.

એક દંતકથા અનુસાર, જ્યારે શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર વડે શિશુપાલનો વધ કર્યો હતો, ત્યારે તેમની આંગળીમાં ઈજા થઈ હતી. આ પછી દ્રૌપદીએ સાડી ફાડી નાખી અને કૃષ્ણની આંગળી પર પટ્ટી બાંધી દીધી હતી.

એવું કહેવાય છે કે, તે દિવસે શ્રાવણ માસની પૂર્ણિમા હતી. માન્યતાઓ અનુસાર, પછીથી આ દિવસને રક્ષાબંધનના તહેવાર તરીકે ઉજવવામાં આવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે, ચિરહરણ સમયે ભગવાન કૃષ્ણએ આ જ કપડાથી દ્રૌપદીની લાજ બચાવી હતી.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X