For Quick Alerts
For Daily Alerts
મહેનત છતાં પ્રમોશન ન મળતુ હોય તો અપનાવો આ Astro Tips
અહીં અમે તમને અમુક ખાસ એસ્ટ્રો ઉપાય બતાવવા જઈ રહ્યા છે જે તમને આગળ વધવામાં મદદ કરશે.
નવી દિલ્લીઃ જો તમે દિવસ-રાત મહેનત કરતા હોય, પોતાના કામ પ્રત્યે ઈમાનદાર હોય પરંતુ તેમછતાં તમને પ્રમોશન ન મળતુ હોય તો તમે બિલકુલ ચિંતા ન કરશો કારણે અહીં અમે તમને અમુક ખાસ એસ્ટ્રો ઉપાય બતાવવા જઈ રહ્યા છે જેને અપનાવીને તમે પોતાની મુશ્કેલીઓ દૂર કરી શકો છો અને એ તમને આગળ વધવામાં મદદ પણ કરશે.
કરો આ ઉપાય, જરૂર મળશે પ્રમોશન
બની શકે કે તમે જે જગ્યાએ ઑફિસમાં બેસતા હોય ત્યાંની સીટિંગ પૉઝિશન બરાબર ન હોય. એવામાં તમે ત્યાં તોડ-ફોડ તો ન કરાવી શકો પરંતુ તમે પોતાના ટેબલ પર ઈષ્ટ દેવનો ફોટો રાખી શકો છો કે જે તમને દરેક પળ એ ભરોસો અપાવશે કે તમારી સાથે કંઈ ખોટુ નહિ થાય. તમારો આત્મવિશ્વાસ ઘટશે નહિ અને તમને સકારાત્મકતા મળતી રહેશે અને તમે ઈમાનદારીથી તમારુ કામ કરતા રહેશો કે જે વિકાસનો મૂળ મંત્ર છે.
એક્વેરિયમ ખોલે છે પ્રગતિના દ્વાર
- તમે તમારા વર્કિંગ સ્ટેશન પર સાફ-સફાઈ રાખો.
- પોતાના ટેબલ પર તમે કાચબો કે માછલીનો ફોટો પણ રાખી શકો છો, તેને પણ શુભ માનવામાં આવે છે.
- ક્યારેક એક નાનુ એક્વેરિયમ પણ પ્રગતિના દ્વાર ખોલી દે છે.
- જો તમને પ્રોત્સાહન ન મળવા પર ગુસ્સો આવતો હોય તો એક નાનુ કેલેન્ડર પણ ટેબલ પર રાખો કારણકે તે ગુસ્સાને શાંત કરે છે.
- ઘરમાંથી જ્યારે પણ નીકળો ત્યારે દહીં-ખાંડ ખાઈને નીકળો, તેને શુભ માનવામાં આવે છે.
- ક્યારેય પણ પોતાના વર્કિંગ પ્લેસ પર જમશો નહિ. તમારી પાસે એક રૂમાલ જરૂર રાખો.
મનમાં જેવો ભાવ, એવી જ દેખાય છે દુનિયા, વાંચો આ કથા
મોતીની વીંટી પણ પ્રગતિનો શ્રોત
- જ્યારે પણ તમને ગુસ્સો આવે તો તમે તેને પોતાના હાથમાં લઈ લો, તમારુ ધ્યાન એ તરફ જશે અને તમારો ગુસ્સો શાંત થઈ જશે કે જે પ્રગતિમાં ઘાતક હોય છે.
- આ ઉપરાંત તમે રુદ્રાક્ષની માળા પણ ધારણ કરી શકો છો. મોતીની વીંટી પણ પ્રગતિનો શ્રોત છે.
- તમે રોજ ગાયને રોટલી ખવડાવો, એ પણ પ્રગતિના દ્વાર ખોલી દે છે.
Comments
English summary
Astrology tips for job and promotion
Story first published: Thursday, April 29, 2021, 11:27 [IST]