Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bhai Bij 2022 : બહેન ભાઇને આપે છે મરવાનો શ્રાપ, જાણો ભાઇ બીજની અનોખી પરંપરા

ભારતમાં અસાધારણ વાતો પણ સાધારણ લાગે છે. વિશ્વ વિખ્યાત પ્રવાસી માર્ક ટ્વેન ભારત વિશે લખે છે કે, ભારત 100 રાષ્ટ્રનો એક દેશ છે. ભારત એક તહેવારોની ભૂમિ છે. દેશમાં વિવિધ ધર્મ અને પ્રાંતના અનેક તહેવારો ઉજવવામાં આવે છે.

Bhai Bij 2022 : ભારતમાં અસાધારણ વાતો પણ સાધારણ લાગે છે. વિશ્વ વિખ્યાત પ્રવાસી માર્ક ટ્વેન ભારત વિશે લખે છે કે, ભારત 100 રાષ્ટ્રનો એક દેશ છે. ભારત એક તહેવારોની ભૂમિ છે. દેશમાં વિવિધ ધર્મ અને પ્રાંતના અનેક તહેવારો ઉજવવામાં આવે છે.

Bhai Bij 2022

દુનિયામાં ભારતમાં દરેક તહેવાર અને રીત-રિવાજો અલગ હોય છે. ઉત્તર ભારત અને ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. દિવાળીનો અંતિમ દિવસ એટલે ભાઇ બીજ. ભાઇ બીજના રીતરિવાજો પ્રાંત મુજબ અલગ અલગ હોય છે. આજે અમે તમને ભાઇ બીજ સાથે જોડાયેલી અજીબ પરંપરા વિશે જણાવી રહ્યા છીએ.

ભાઇ બીજનો તહેવાર પણ રક્ષાબંધનની જેમ ઉજવવામાં આવે છે, જેમાં બહેનો તેમના ભાઈને તિલક લગાવે છે અને સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે, પરંતુ કેટલીક જગ્યાએ બહેનો ભાઈઓને મરવાનો શ્રાપ આપે છે. આ જાણીને તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું છે.

ભાઈઓને શ્રાપ આપ્યા પછી બહેનોએ પણ તેનું પ્રાયશ્ચિત કરે છે. આ એક પરંપરા છે, જે વર્ષોથી અનુસરવામાં આવે છે. આવો જાણીએ આ કેવા પ્રકારની પરંપરા છે અને કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?

Bhai Bij 2022

કરવામાં આવે છે અનોખી પરંપરાનું પાલન

આ અનોખી પરંપરા છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં અનુસરવામાં આવે છે. આ પરંપરા અનુસાર, બહેનો તેમના ભાઈઓને મૃત્યુનો શ્રાપ આપે છે. છત્તીસગઢના જશપુર જિલ્લામાં એક ખાસ સમુદાયના લોકો આ પરંપરાનું પાલન કરે છે.

છોકરીઓ તેમના ભાઈઓને મૃત્યુનો શ્રાપ આપે છે અને આ ભાઈ બીજના દિવસે કરવામાં આવે છે. ભાઈ બીજ નિમિત્તે બહેનો સવારે ઉઠ્યા પછી તેમના ભાઈઓને શાપ આપે છે. આનું પ્રાયશ્ચિત કરવા માટે, બહેનો તેમની જીભ પર કાંટા પણ ભોંકે છે.

આ દરમિયાન યુવતીઓ યમલોકના જીવોની મૂર્તિ બનાવે છે અને તેને કચડી નાખે છે. એવું માનવામાં આવે છે કે, ભાઈ બીજના દિવસે આ પરંપરાનું પાલન કરવાથી યમરાજનો ભય નથી રહેતો. એક દંતકથામાં પણ તેનો ઉલ્લેખ છે.

જાણો પરંપરા પાછળની દંતકથા

પૌરાણિક માન્યતાઓ અનુસાર, એકવાર યમરાજ એક એવી વ્યક્તિને મારવા માટે પૃથ્વી પર આવ્યા હતા, જેની બહેને તેને ક્યારેય શ્રાપ આપ્યો ન હતો. ઘણી તપાસ કર્યા બાદ યમરાજને એક એવો માણસ મળ્યો, જેની બહેને તેને ક્યારેય શ્રાપ આપ્યો ન હતો અને તે તેના ભાઈને ખૂબ પ્રેમ કરતી હતી. તેની બહેનને યમરાજની યોજના વિશે ખબર પડી કે, તે તેના ભાઈના પ્રાણ હરવા માંગે છે.

આ જાણ્યા બાદ બહેને તેના ભાઈને ગાળો આપી અને તેને શાપ પણ આપ્યો હતો. જેના કારણે યમરાજ તેનો જીવ લઈ શક્યા ન હતા. તેનાથી આ વ્યક્તિનો જીવ બચી ગયો હતો, ત્યારથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X