મહિલાઓ શની દેવની પુજા કરી શકે? પૂજા કરતા રહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
શની દેવને ન્યાયના દેવ માનવામાં આવે છે. કહેવાય છે કે તેમનો ક્રોપ જીંદગીમાં મોટી ઉથલપાથળ મચાવી શકે છે. આ માટે જ તેમની પુજામાં ઘણુ ઘ્યાન રાખવુ પડે છે.
જો શનિદેવ ક્રોધિત થાય છે તો તેઓ સજા કરવામાં પાછીપાની કરતા નથી. પરંતુ આનો અર્થ એ નથી કે શનિદેવ હંમેશા સજા આપે છે. શનિદેવ શુભ ફળ આપે છે ત્યારે જીવન સ્વર્ગ જેવું બની જાય છે અને શનિદેવ પોતાની શુભ દ્રષ્ટિથી ગરીબને પણ રાજા બનાવી દે છે.

મહિલાઓ શનિદેવની પૂજા કરી શકે?
શનિદેવની પૂજાને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે, જેમાંથી એક સવાલ એ છે કે શું મહિલાઓ શનિદેવની પૂજા કરી શકે છે? આનો જવાબ હા છે. સ્ત્રી-પુરુષ બધા શનિદેવની પૂજા કરી શકે છે.
જો કે મહિલાઓએ શનિદેવની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શનિદેવની પૂજા કરતી વખતે મહિલાઓએ આ ભૂલોથી બચવું જોઈએ.
- જો કોઈ સ્ત્રીની કુંડળીમાં શનિની મહાદશા, શનિની સાડા સાતી ચાલી રહી હોય તો તમે શનિદેવને પ્રસન્ન કરવા અને દોષો ઘટાડવા માટે કોઈ જ્યોતિષ કે પંડિતને પૂછીને શનિદેવની પૂજા કરી શકો છો.
- મહિલાઓએ પૂજા કરતી વખતે શનિદેવની આંખોમાં ન જોવું જોઈએ, તેનાથી શનિદેવની ખરાબ નજરનો સામનો કરવો પડી શકે છે.
- મહિલાઓએ પૂજા કરતી વખતે શનિદેવની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ. આ નકારાત્મક ઉર્જા ધરાવતી મહિલાઓને અસર કરે છે.
- શનિદેવની પૂજામાં સરસવનું તેલ ચઢાવવાનું અને સરસવના તેલનો દીવો પ્રગટાવવાનું મહત્વ છે. પરંતુ મહિલાઓએ ભૂલથી પણ શનિદેવની મૂર્તિને તેલ ન ચઢાવવું જોઈએ. તમે સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો અથવા મૂર્તિની પાસેના વાસણમાં સરસવનું તેલ રાખી શકો છો. પરંતુ મૂર્તિને સ્પર્શ ન થાય તેનું ધ્યાન રાખવું.
- એવું માનવામાં આવે છે કે ગર્ભવતી મહિલાઓએ શનિદેવની પૂજા ન કરવી જોઈએ કે શનિ મંદિરમાં જવું જોઈએ નહીં.
- સામાન્ય રીતે ઘણી સ્ત્રીઓ શનિદેવના મંદિરે નથી જતી. જો તમે શનિદેવના મંદિરમાં નથી જતા તો શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે શનિ સંબંધિત વસ્તુઓ જેમ કે સરસવનું તેલ, લોખંડ, કાળી અડદની દાળ અને કાળા તલ વગેરેનું દાન કરી શકો છો. તેનાથી શનિની અશુભ અસર ઓછી થાય છે અને વ્યક્તિ તેના આશીર્વાદ મેળવે છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
