For Quick Alerts
For Daily Alerts
Chandra Grahan 2022: ચંદ્ર ગ્રહણ પછી જરુર કરો આ કામ, ઘરમાં રહેશે સુખ, સમૃદ્ધિ અને શાંતિ
આવો જાણીએ ગ્રહણ સમાપ્ત થયા પછી તમારે શું કરવુ જોઈએ જેથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવી શકે.
Chandra Grahan 2022: વર્ષ 2022નુ અંતિમ ચંદ્રગ્રહણ આજે એટલે કે 8 નવેમ્બર મંગળવારના રોજ થવા જઈ રહ્યુ છે. હિંદુ ધર્મમાં ગ્રહણ દરમિયાન સૂતક લાગતુ હોવાથી ઘણા કાર્યો કરવાની મનાઈ છે. આ દરમિયાન મંદિરના દરવાજા પણ બંધ કરી દેવામાં આવે છે અને ખાવા-પીવા પર પણ પ્રતિબંધ છે. આવો જાણીએ ગ્રહણ સમાપ્ત થયા પછી તમારે શું કરવુ જોઈએ જેથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવી શકે.
- ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો.
- સ્નાન કર્યા બાદ આખા ઘરમાં ગંગાજળ છાંટીને શુદ્ધ કરો.
- મંદિરમાં કે ઘરની અન્ય જગ્યાઓએ રાખવામાં આવેલી મૂર્તિઓ અને ફોટાને ગંગાજળનો છંટકાવ કરીને પવિત્ર કરો.
- તુલસીજીની સામે દીવો પ્રગટાવો.
- ઘરના પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો અને ધૂપ કરો.
- જો ઘરની નજીક શિવ મંદિર હોય તો ત્યાં જઈને દર્શન કરો.
- ગ્રહણ પહેલા ઘરમાં તુલસીના પાનને જમવાની વસ્તુઓમાં મુકવા જોઈએ.
- જો પૂર્ણિમાના દિવસે ગ્રહણ હોય તો કોઈ બ્રાહ્મણને દાન કરો અથવા ભોજન કરાવો.
- ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે ગણેશ લક્ષ્મીની પૂજા કરો.
- જેમના લગ્ન થવા જઈ રહ્યા છે તેમણે ગણપતિ બાપ્પાને હળદર કુમકુમ અર્પણ કરવી જોઈએ.
વિઘ્નહર્તાના આ મંત્રોનો કરો જાપ
- ओम गं गणपतये नमः
- ओम वक्रतुंडाय हुम्
- ओम हस्ति पिशाचि लिखे स्वाहा
- गं क्षिप्रप्रसादनाय नम:
- 'ओम गं नमः'
- ओम श्रीं गं सौभ्याय गणपतये वर वरद सर्वजनं मे वशमानय स्वाहा
Comments
English summary
Chandra Grahan 2022: To get happiness, peace and prosperity in the house, do these work after Lunar Eclipse.
Story first published: Tuesday, November 8, 2022, 10:29 [IST]