Chhath Puja 2020: આજે સૂર્યદેવને ગોળની ખીરનો ભોગ ધરાવી શરૂ થશે 36 કલાકનુ નિર્જળા વ્રત
છઠ મહાપર્વની શરૂઆત બુધવારથી થઈ ચૂકી છે. આજે છઠનો બીજો દિવસ છે જેને 'ખરના' કહેવાય છે. જાણો વિગત..
Chhath Puja (Kharna Tody): અત્યારે આખુ બિહાર લોક આસ્થાના મહાપર્વ 'છઠ'ના રંગે રંગાયેલુ છે. મહાપર્વની શરૂઆત બુધવારથી થઈ ચૂકી છે. આજે છઠનો બીજો દિવસ છે જેને 'ખરના' કહેવાય છે. આજે સૂર્યદેવને ભોગ ધરાવ્યા બાદથી 36 કલાકનુ વ્રત શરૂ થઈ જશે. આજે લોકો આખો દિવસ ઉપવાસ રાખશે અને સાંજે સૂર્યદેવને ભોગ ધરાવીને પ્રસાદ ગ્રહણ કરશે, આજના ભોજનમાં ગોળની ખીર ખાવાની પરંપરા છે, સાથે લોટની મોટી રોટલી પણ ખાવામાં અને વહેંચવામાં આવે છે.

આજથી શરૂ થશે 36 કલાકનુ નિર્જળા વ્રત
છઠની પૂજામાં સ્વચ્છતાનુ ઘણુ ધ્યાન રાખવામાં આવે છે. 'ખરના'નુ ભોજન માટીના ચૂલામાં બનાવવામાં આવે છે. આના માટે ઘરની મહિલાઓ ઘરનો એ ખૂણો પસંદ કરે છે જ્યાં કોઈ અવાજ ન હોય અને અવરજવર કરનારા લોકો પણ ઓછા હોય, આ એરિયા એકદમ શાંત હોય છે, જમવામાં સાઠીના ચોખા ઉપયોગમાં લેવામાં આવે છે. ખીર ઉપરાંત મૂલી, કેળા પણ પ્રસાદમાં ઉપયોગમાં લેવાય છે, ચૂલામાં સૂકા લાકડાનો ઉપયોગ થાય છે, આ પ્રસાદને ખાધા બાદ જ 36 કલાકનુ કઠોર વ્રત શરૂ થઈ જાય છે કે જે સૂર્ય ભગવાનને સવારે અર્ધ્ય આપ્યા બાદ જ ખતમ થશે.

સૂર્યદેવને ભોગ લગાવ્યા બાદ શરૂ થશે 36 કલાકનુ નિર્જળા વ્રત
પહેલુ અર્ધ્ય કાલે સાંજે ડૂબતા સૂર્યને સાંજે 5 વાગીને 25 મિનિટે આપવામાં આવશે. વળી, બીજુ અર્ધ્ય 21 નવેમ્બરે સવારે 6 વાગીને 48 મિનિટે આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે છઠ પૂજા મુખ્ય રીતે સંતાનના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવે છે. સૂર્યદેવની ઉપાસનાથી લોકોને માન-સમ્માન, સુખ-સમૃદ્ધિ, ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. આ એકમાત્ર એવુ વ્રત છે જેમાં ડૂબતા સૂરજ અને ઉગતા સૂરજ બંનેની પૂજા કરવામાં આવે છે. આ વખતે કોરોના મહામારીના કારણે છઠ પૂજા માટે સરકાર તરફથી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે જેનુ પાલન કરવુ દરેક માટે ખૂબ જરૂરી છે.

આ છે નિર્દેશ
- ઘાટ પર કોઈને નદીમાં ડૂબકી લગાવવાની મંજૂરી નથી.
- પૂજા સ્થળ પર સોશિયલ ડિસ્ટંસીંગનુ કડકાઈથી પાલન કરવાુ રહેશે.
- દરેકને પૂજા સ્થળ પર માસ્કનો ઉપયોગ અનિવાર્ય રહેશે.
- પૂજા સ્થળ પર મહિલાઓ માટે ચેન્જ રૂમ બનાવવામાં આવશે.
- 60 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને 10 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિને ઘાટ પર આવવાની મનાઈ છે.
- ઘાટોમાં પાણીના વહેણની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે.
- પૂજા સ્થળ પર જાણી જોઈને ભીડ એકઠી કરવી નહિ.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
