સાહસી અને જીજ્ઞાસુ પ્રકૃતિ ધરાવે છે ધન રાશિના બાળકો
ધન રાશિના બાળકો અત્યંત ઉર્જાવાન અને આનંદી પ્રકૃતિના હોય છે. તેઓ ખુશ અને રમતિયાળ હોય છે. એક જોકરની જેમ તે અહીંથી ત્યાં ઉછળ્યા કરે છે. વધુમાં વાંચો અહીં.
દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક દુનિયામાં નામના મેળવે, જીવનના ઉચ્ચ શિખરો હાંસલ કરે. જો કે સંતાનનું ભવિષ્ય માતા-પિતાના હાથમાં નથી. આગળ ચાલી તે શું કરશે તેનું અનુમાન અત્યારથી લગાવવું મુશ્કેલ છે. માતા-પિતા તેને સારુ ભણતર, સારા સંસ્કાર, કાળજી, ભૌતિક સુખ-સુવિધા આપી શકે છે. પણ તેનું ભવિષ્ય બનાવવું તે જે તે વ્યક્તિના પોતાના હાથની વાત છે. પોતાના સંતાનની ચિંતા કરનારા આવા માતા-પિતા માટે આજે અમે કેટલીક માહિતી લઈને આવ્યા છીએ જેને આધારે તમે જાણી શકશો કે તમારા બાળકની રાશિને આધારે તમારુ બાળક કેવું રહેશે, તેનો સ્વભાવ કેવો રહેશે, તેની શેમાં રૂચી રહેશે. એવું માનીએ કે આ માહિતી તેમના માતા-પિતાને તેમને ભરણપોષણમાં મદદરૂપ બને. તો આજે વાત કરીશું ધન રાશિના બાળકોની લાક્ષણિકતાઓ વિશે... જેમના બાળકો ધન રાશિના છે તેઓ જરૂરથી વાંચે આ આર્ટીકલ.
ધન રાશિ
ધન રાશિના બાળકો અત્યંત ઊર્જાવાન અને આનંદી પ્રકૃતિના હોય છે. તેઓ ખુશ અને રમતિયાળ હોય છે. એક જોકરની જેમ તે અહીંથી ત્યાં ઉછળ્યા કરે છે. તેમને દરેક કાર્યમાં રસ આવે છે, તેમને જનાવરો સાથે પણ રમવું ગમે છે. પોતાના સંબંધોમાં તેઓ ઈમાનદાર હોય છે, જેથી પોતાની આસપાસના લોકો પાસેથી પણ તેઓ તેની જ અપેક્ષા રાખે છે. અન્ય બાળકોની સરખામણીએ તેમના શરીર પર વાગવાના અને કપાવાના નિશાન વધારે હોય છે. સાહસિક પ્રકૃતિને કારણે તેઓ એક સ્થાને બેસી શકતા નથી. તેમના માતા-પિતાએ કેટલાક સામાજીક નિયમોથી તેમને સભાન કરવા જોઈએ. આ બાળકો અસાધારણ હોય છે, જેથી તેમને પ્રશિક્ષિત કરવા જરૂરી છે.
જીજ્ઞાસુ પ્રકૃતિ
ધન રાશિના બાળકો જીજ્ઞાસુ સ્વભાવના હોય છે. તેઓ આસપાસના લોકોને વારંવાર પ્રશ્નો પુછ્યા કરે છે. આવા બાળકો જ્યારે પ્રશ્ન કરે ત્યારે તેમને એવા તર્કપૂર્ણ જવાબ આપો જેનાથી તેમનો માનસિક વિકાસ થાય.
લોકોનો સાથ ગમે છે
આ બાળકોને લોકોની કંપની ગમે છે. તેની આસપાસના લોકોને તે ચાહે છે. આ બાળક જ્યારે સુઈ જાય ત્યારે તે પોતાનો ધાબળો કે ટેડીબિયરને જકડીને સુઈ જાય છે. તે બધા જ પર વિશ્વાસ કરે છે, તેને જલ્દી કોઈના પર શંકા આવતી નથી.
મજાકિયો સ્વભાવ
આ બાળકો સ્વતંત્ર સ્વભાવના હોય છે. તેઓ હંમેશા ખુશ રહે છે અને માતા-પિતાને બહું હેરાન કરતા નથી. તેઓ બુદ્ધિશાળી અને ઊર્જાવાન હોય છે.
દયાળુ
તેઓ દયાળુ હોય છે, બીજાનું દુઃખ તે જોઈ શકતા નથી. પોતાના જીવનમાં તેમને કંઈ ખોટુ લાગે તો તેનાથી તે ગભરાઈ જાય છે. નવી શોધો કરે છે. તેઓ સારા વૈજ્ઞાનિક બની શકે છે. તેમનુ કામ એટલું સારુ હોતુ નથી પણ તેમને સારુ પરિણામ લાવવું ગમે છે. તેમને નવી નવી જગ્યાએ ફરવું ગમે છે.
આઉટડોર ગેમને પ્રાથમિકતા
તેઓ સાહસી હોય છે, પરિણામે તેમને આઉટડોર ગેમ ગમે છે. તેમના માતા-પિતાઓ તેમને રિસર્ચ ક્ષેત્રે કરિયર બનાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમને નવા પ્રયોગો કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. આવા બાળકો ઘણી વાર તેમના માતા-પિતા સામે વિદ્રોહ કરવા લાગે છે, જેથી તેમની સાથે વધુ બહેસબાજીમાં પડવું નહિં.