Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કૃષ્ણ મહાભારતનું યુદ્ધ રોકી શકતા હતા? જાણો તેમણે એવુ કેમ ન કર્યુ?

મહાભારતના યુદ્ધને લઈને હજારો કથાઓ પ્રચલિત છે. આ કથાઓમાં સૌથી વધુ જાણીતી દંતકથા એ છે કે ભગવાન શ્રીકૃષ્ણ મહાભારતનું યુદ્ધ રોકી શકતા હતા.

ઘણા લોકો દાવો કરે છે કે કૃષ્ણએ ઈચ્છા રાખી હોત તો યુદ્ધ રોકી શકાયુ હોત. આજે આપણે આ દાવાની હકિકત તપાસવાના છીએ.

Lord Krishna

મહાભારતના યુદ્ધમાં કૃષ્ણએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કૃષ્ણએ તમામ લોકોને તેમનો પક્ષ પસંદ કરવાનો મોકો આપ્યો હતો. જેમ જેમ લોકો યુદ્ધમાં સામેલ થતા ગયા તેમ તેમ યુદ્ધ મોટું થતું ગયું અને લાખો લોકોએ જીવ ગુમાવ્યા

એવું કહેવાય છે કે જો શ્રી કૃષ્ણ ઇચ્છતા તો યુદ્ધ રોકી શક્યા હોત પરંતુ તેમણે યુદ્ધ રોક્યું નહીં. ગાંધારીએ પણ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા અને શ્રાપ આપી દીધો.

માન્યતાઓ અનુસાર, કૃષ્ણએ યુદ્ધ રોકવા હસ્તિનાપુર જઈને પાંડવો અને કૌરવો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા પ્રયાસ કર્યો હતો. જો કે દુર્યોધને શાંતિ પ્રસ્તાવને નકારી કાઢ્યો અને યુદ્ધના મંડાણ થયા.

કહેવાય છે કે યુદ્ધનો નિર્ણય લેવાયો ત્યારે તેમની ક્ષમતાને ધ્યાનમાં રાખીને કૃષ્ણએ યોદ્ધા તરીકે યુદ્ધમાં ભાગ ન લેવાનું યોગ્ય માન્યું. ભલે શ્રી કૃષ્ણએ દરેકને સમજાવીને યુદ્ધને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સારી રીતે જાણતા હતા કે દુર્યોધન ક્યારેય સમાધાન માટે સંમત થશે નહીં અને અન્ય યોદ્ધાઓ તેમના સ્વાર્થ અને લોભને છોડશે નહીં.
તે પોતે યુદ્ધના પક્ષમાં હતા અને યુદ્ધને રોકવા માટે તેમનો સખત પ્રયાસ ન કરવો એ ઘણા મહત્વપૂર્ણ ઉદ્દેશ્યોની પરિપૂર્ણતાને કારણે હતું.

કૃષ્ણએ યુદ્ધ કેમ ન રોકાવ્યુ?
ધર્મ સ્થાપના
મહાભારત યુદ્ધનો એક ઉદ્દેશ્ય ધર્મ સ્થાપનાનો હતો. કૌરવોના જુલમ અને અનીતિનો અંત લાવવા અને ધર્મને પુનઃસ્થાપિત કરવા યુદ્ધ જરૂરી હતું. એટલે જ કૃષ્ણએ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો કે વ્યક્તિ પોતાનો હિસ્સો ચૂકવીને આ ધાર્મિક યુદ્ધમાં ભાગ લે. યુદ્ધમાં બાધા બનનારા લોકોને કૃષ્ણને પહેલાથી જ દુર કર્યા હતા.

કર્મનો સિદ્ધાંત
ભગવદ ગીતામાં કૃષ્ણએ કર્મના સિદ્ધાંત પર ભાર મૂક્યો છે. તેમણે અર્જુનને કહ્યું કે દરેક વ્યક્તિએ તેના કર્મોનું ફળ ભોગવવું પડે છે. કૌરવોના અધર્મ અને અત્યાચારના પરિણામે યુદ્ધ દ્વારા તેમના કાર્યોનું પરિણામ ભોગવવું પડ્યું.

નૈતિકતા અને ન્યાયનો પક્ષ
કૃષ્ણ હંમેશા નૈતિકતા અને ન્યાયનો પક્ષ લેતા હતા. પાંડવો તેમના અધિકારો અને ન્યાય માટે લડ્યા અને કૃષ્ણને નૈતિકતા અને ધર્મના માર્ગે ચાલીને ટેકો આપ્યો. જો આ યુદ્ધમાં સમાધાન થયું હોત તો ઘણા લોકો ન્યાયથી વંચિત રહી ગયા હોત અને માનવતાનો એક મોટો ઉદ્દેશ્ય અધૂરો રહી ગયો હોત.

સ્વતંત્રતા અને કર્તવ્ય
કૃષ્ણએ અર્જુનને એમ પણ કહ્યું કે દરેક વ્યક્તિએ સ્વતંત્ર અને નિઃસ્વાર્થપણે પોતાની ફરજો બજાવવી જોઈએ. તેમણે યુદ્ધને ફરજ તરીકે જોવાનો અને નિઃસ્વાર્થ ભાવે કરવાનો સંદેશ આપ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X