ધનતેરસ પર સોનુ કેમ ખરીદવુ જોઈએ? શું છે ખરીદીનુ શુભ મૂહુર્ત
ધનતેરસના દિવસે સોનુ-ચાંદી ખરીદવાનુ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ મહત્વ અને શુભ મુહૂર્ત.
દિવાળીના પાંચ દિવસીય પર્વની શરુઆત ધનતેરસના દિવસથી થાય છે. આ વર્ષે અમુક લોકો ધનતેરસ 22 તારીખે મનાવશે જ્યારે અમુક લોકો 23 તારીખે મનાવશે. તમને જણાવી દઈએ કે 22 ઓક્ટોબર સાંજે 6.03 વાગ્યાથી ત્રયોદશી તિથિનો પ્રારંભ થશે માટે ધનતેરસની પૂજા આજે સાંજે પણ કરી શકાય છે પરંતુ જે લોકો ઉદયાતિથિમાં માનતા હોય એ લોકો આ પર્વને 23 ઓક્ટોબરે મનાવશે. 23 ઓક્ટોબરે સાંજે 6.03 વાગ્યા સુધી ત્રયોદશી તિથિ રહેશે. ધનતેરસના દિવસે સોનુ-ચાંદી ખરીદવાનુ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. લોકો આ દિવસે શુભ મુહૂર્તમાં ધનતેરસની પૂજા કરે છે અને સોનુ પણ ખરીદે છે. આવો જાણીએ શુભ મુહૂર્ત.

શુભ મુહૂર્ત
જો તમે 22 ઓક્ટોબરે ધનતેરસ મનાવી રહ્યા હોય તો આ દિવસે શુભ મુહૂર્ત રાતે 07 વાગીને 01 મિનિટથી 08 વાગીને 17 મિનિટ સુધી રહેશે. આ દરમિયાન તમે પૂજા પણ કરી શકો છો અને સોનુ-ચાંદી પણ ખરીદી શકો છો. વળી, જો તમે ધનતેરસ 23 ઓક્ટોબરે મનાવવાના હોય તો આ દિવસે બપોરે 12 વાગીને 02 મિનિટથી લઈને 03 વાગીને 01 મિનિટ વચ્ચે સોનુ ખરીદી શકો છો.

વરસે છે મા લક્ષ્મીની કૃપા
23મીએ સાંજે 7.16 થી 8.26 સુધી ધનતેરસની પૂજાનુ શુભ મુહૂર્ત છે. આ દિવસે પ્રદોષ કાળ સાંજે 5.56થી 8.26 સુધી છે, જ્યારે વૃષભ લગ્ન સાંજે 7.16થી 9.15 સુધી છે. તમને જણાવી દઈએ કે તેરસનો દિવસ શુભ સંયોગમાં છે, તેથી જો તમે મહુરતની મધ્યમાં ખરીદી ન કરી શકો તો પણ તમે દિવસના કોઈપણ સમયે ખરીદી કરી શકો છો. મા લક્ષ્મીની કૃપા અને ધન્વંતરી હંમેશા તમારી સાથે રહેશે.

દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેને સોનુ પ્રિય
તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેને સોનુ પસંદ છે અને તેથી નાભિની ઉપરના ભાગમાં સોનાના ઘરેણા પહેરવામાં આવે છે. નાભિની નીચેના અવયવોમાં સોનાનો સ્પર્શ થતો નથી. સોનુ સમૃદ્ધિનુ પ્રતીક છે અને ચાંદી સુખનુ પ્રતીક છે. એવુ માનવામાં આવે છે કે જે ઘરોમાં સોનુ-ચાંદી હોય ત્યાં હંમેશા બરકત રહે છે.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
