Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Stress and Food: જો તણાવમાં હોય તો જરુર ખાવ રાશિ મુજબ આ વસ્તુઓ, મળશે તરત રાહત

જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જો કોઈ વ્યક્તિ પોતાની રાશિ પ્રમાણે વસ્તુઓ ખાય તો તેનુ મન તરત જ શાંત થઈ જાય છે. આવો જાણીએ રાશિ પ્રમાણે તણાવની સ્થિતિમાં શું ખાવુ-

Stress and Food: આજકાલ જે પ્રકારનુ જીવન બની ગયુ છે, જે પ્રકારની જીવનશૈલી બની ગઈ છે, ત્યાં દોડધામ છે, આગળ વધવાની સ્પર્ધા છે, દરરોજ આપણે એક યા બીજી બાબતને લઈને તણાવમાં રહીએ છીએ. ઘણા લોકોનુ ટેન્શન થોડી વારમાં દૂર થઈ જાય છે, પરંતુ ઘણા લોકો ઘણા દિવસો સુધી પોતાના મન અને હૃદયમાં ટેન્શન રાખે છે. જો કે તણાવ દૂર કરવાના ઘણા ઉપાયો છે, પરંતુ કંઈક ખાવાથી પણ તણાવ દૂર થઈ શકે છે, વૈજ્ઞાનિકોએ પણ આ સાબિત કર્યુ છે. વિજ્ઞાન કહે છે કે જો તમે તણાવમાં હોવ તો તમારી મનપસંદ વસ્તુઓ ખાવાથી તરત જ તમારુ મન પ્રસન્ન થઈ શકે છે. પશ્ચિમી જ્યોતિષશાસ્ત્ર પણ આ જ વાત કહે છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જો કોઈ વ્યક્તિ પોતાની રાશિ પ્રમાણે વસ્તુઓ ખાય તો તેનુ મન તરત જ શાંત થઈ જાય છે. આવો જાણીએ રાશિ પ્રમાણે તણાવની સ્થિતિમાં શું ખાવુ-

ice cream
  • મેષ: ક્રીમ, માખણ, ડેરી ઉત્પાદનો, આઈસ્ક્રીમ, પેસ્ટ્રી, કેક જેવી વસ્તુઓનુ સેવન કરવાથી મન શાંત થશે. મસાલેદાર ખોરાક તમારા મૂડને બદલવામાં પણ મદદ કરશે.
  • વૃષભ: તમને મીઠાઈઓ ગમે છે. તેથી જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે કંઈક મીઠી ખાઓ. ફળોમાં સફરજન અને આડૂ ખાવાથી તમારો મૂડ બદલાઈ જશે અને તમે ખુશીનો અનુભવ કરશો.
  • મિથુન: જો કે મિથુન રાશિના લોકોને ખાવાનું વધુ પસંદ નથી પરંતુ તેમ છતાં તણાવની સ્થિતિમાં તમે લોટ, મેંદાની બનેલી વસ્તુઓજેવી કે બિસ્કિટ અને બ્રેડ વગેરે ખાઓ તો સારુ છે.
  • કર્કઃ ચૉકલેટ, મીઠાઈ વગેરે બંનેની અત્યંત મસાલેદાર અને વિપરીત પ્રકૃતિની વસ્તુઓ તમારા મૂડને બદલવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ બેમાંથી તમને સૌથી વધુ ગમે તે ખાઓ.
  • સિંહ: ડિપ્રેશનને દૂર કરવા માટે ખાટા ફળ ખાવાથી તમારા માટે લાભ થશે. તમારી રાશિ પ્રમાણે જો તમે સંતરા જેવા ખાટા ફળો ખાશો કે લીંબુ પાણી પીશો તો તણાવ તરત જ દૂર થઈ જશે.
  • કન્યાઃ તમને મોટાભાગે શાકાહારી વસ્તુઓ ખાવાનુ ગમે છે. તાજો અને ગરમ ખોરાક તમારો મૂડ બદલી શકે છે. આ સાથે થોડી મીઠાઈ કે ચોકલેટ ખાવાથી મન ખુશ થશે.
  • તુલા: ડિપ્રેશન કે તણાવની સ્થિતિમાં આઈસ્ક્રીમ, મિલ્ક શેક, તાજા ફળ વગેરે ખાઓ, તણાવ દૂર થશે. તમને રેસ્ટોરન્ટમાં જવાનુ પણ ગમે છે. તેથી જ્યારે મૂડ ખરાબ હોય, ત્યારે બહાર જાઓ અને કંઈક ખાવ.
  • વૃશ્ચિક: તમને ગરમ અને મસાલેદાર ખોરાક ખાવાનુ ગમે છે. જ્યારે તમારો મૂડ ખૂબ ખરાબ હોય ત્યારે ગરમ સૂપ પીવો. મિત્રો સાથે બહાર જાઓ અને મસાલેદાર ખાઓ.
  • ધન: તમને ફળ ખાવાનુ ગમે છે. જ્યારે પણ તમે તણાવમાં હોવ, ડિપ્રેશનમાં હોવ, જો તમારુ મન ઉદાસ હોય તો વિવિધ પ્રકારના ફળો ખાવ. તેનાથી તમારા મનને પ્રસન્નતા મળશે.
  • મકર: ખાટો અને મસાલેદાર ખોરાક તમારા માટે તણાવ દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ગરમા ગરમ, મસાલેદાર, તળેલી શાકાહારી વસ્તુઓ ખાવાથી મન પ્રસન્ન રહેશે.
  • કુંભ: તમને ખોરાક પર ધ્યાન આપવુ ગમે છે, પછી તે મીઠો હોય કે નમકીન. મીઠાઈ ખાવાથી તણાવ તરત જ દૂર થાય છે. જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે, લંચ અથવા ડિનર કરવા માટે પરિવાર અથવા મિત્રો સાથે બહાર જાવ.
  • મીન: તમને ભોજન કરતા પીણુ પીવુ વધુ ગમે છે. તણાવના કિસ્સામાં, તમારા મનપસંદ ફળોનો રસ પીવો. મીઠાઈ, ચોકલેટ, આઈસ્ક્રીમ ખાઈને મન પ્રસન્ન રહેશે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X