Eid 2023: સાઉદી અરબમાં આજે મનાવાઈ રહી છે રમઝાન ઈદ, ભારતમાં કાલે થશે ઉજવણી
Eid 2023 Date: અરબ દેશોમાં ગુરુવારે ઈદનો ચાંદ દેખાયો હતો, ત્યારબાદ આજે ત્યાં ઈદ મનાવવામાં આવી રહી છે. જોકે, અગાઉ ઈદની તારીખને લઈને થોડી મૂંઝવણ થઈ હતી.
વાસ્તવમાં, સાઉદીમાં ગઈ કાલે ચાંદ દેખાયો હતો, તેથી જ આજે ત્યાં ઈદ મનાવવામાં આવી રહી છે અને ગઈ કાલે ત્યાં છેલ્લો રોજો હતો અને તેથી ભારતમાં એક દિવસ પછી એટલે કે શનિવારે ઈદની ઉજવણી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ઈદને લઈને સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે પણ આવતીકાલે જ શવ્વાલનો ચાંદ જોવા અને ઈદની તારીખ જાહેર કરવા માટે કહ્યુ છે.
ઘણા દેશોમાં ન દેખાયો ચાંદ
ખગોળશાસ્ત્રીએ કહ્યુ હતુ કે આવતીકાલે ચંદ્ર દેખાશે નહીં અને તે ઘણી હદ સુધી સાચુ સાબિત થયુ કારણ કે વિશ્વના ઘણા દેશોમાં ચાંદ રાત નથી થઈ. તમને જણાવી દઈએ કે જે રાતે ઈદનો ચાંદ દેખાય છે તેને ચાંદ રાત કહેવામાં આવે છે.
યુપીમાં ઈદને લઈને માર્ગદર્શિકા જાહેર કરાઈ
- ઉત્તર પ્રદેશમાં ઈદ, અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ પર રસ્તાઓ પર કોઈ શોભાયાત્રા કે કોઈ ધાર્મિક કાર્યક્રમ થશે નહીં. તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપવામાં આવ્યો છે કે લોકો તેમના ઘરે ધાર્મિક તહેવારો ઉજવે. આ સંદર્ભમાં, વિશેષ પોલીસ મહાનિર્દેશક (SDGP) પ્રશાંત કુમારે તમામ અધિકારીઓને સૂચના આપી છે.
- સૂચના અનુસાર, ધાર્મિક પ્રસંગની આડમાં ટ્રાફિકને અવરોધવાની કોઈને જરૂર નથી.
- દરેકને સોશિયલ મીડિયા પર ફેક વાયરલ વીડિયોથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.
- તમને જણાવી દઈએ કે ઈદ-ઉલ-ફિત્ર, અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ 22 એપ્રિલે જ છે. વાતાવરણ ન બગડે તે માટે પોલીસે આવી સૂચનાઓ આપી છે.
ઉમંગ અને ખુશીઓનો તહેવાર
તમને જણાવી દઈએ કે ઈદ એ ખુશીનો તહેવાર છે, આ દિવસે લોકો નવા કપડા પહેરે છે અને લોકોને ભેટ આપે છે. સેવઈ ઘરે બનાવવામાં આવે છે, તેથી જ તેને મીઠી ઈદ કહેવામાં આવે છે. ઈદના તહેવાર સાથે રોજાનો અંત આવે છે અને લોકોની ત્રીસ દિવસની તપસ્યાનો અંત આવે છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ પેગમ્બરને રમઝાન મહિનામાં જ કુરાન અવતરિત થયુ હતુ, તેથી તેને પાક મહિનો કહેવામાં આવે છે.
શિસ્ત અને સંયમના પાઠ
આ મહિનો લોકોને શિસ્ત અને સંયમ શીખવે છે અને લોકોને ભગવાનની નજીક લઈ જાય છે. આ મહિનામાં, લોકો જરૂરિયાતમંદોને ખૂબ મદદ કરે છે અને તેમના પાપો માટે સર્વશક્તિમાન પાસેથી ક્ષમા માંગે છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
