For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Eid 2023: સાઉદી અરબમાં આજે મનાવાઈ રહી છે રમઝાન ઈદ, ભારતમાં કાલે થશે ઉજવણી

By Desk
|
Google Oneindia Gujarati News

Eid 2023 Date: અરબ દેશોમાં ગુરુવારે ઈદનો ચાંદ દેખાયો હતો, ત્યારબાદ આજે ત્યાં ઈદ મનાવવામાં આવી રહી છે. જોકે, અગાઉ ઈદની તારીખને લઈને થોડી મૂંઝવણ થઈ હતી.

વાસ્તવમાં, સાઉદીમાં ગઈ કાલે ચાંદ દેખાયો હતો, તેથી જ આજે ત્યાં ઈદ મનાવવામાં આવી રહી છે અને ગઈ કાલે ત્યાં છેલ્લો રોજો હતો અને તેથી ભારતમાં એક દિવસ પછી એટલે કે શનિવારે ઈદની ઉજવણી કરવામાં આવશે.

eid

તમને જણાવી દઈએ કે ઈદને લઈને સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે પણ આવતીકાલે જ શવ્વાલનો ચાંદ જોવા અને ઈદની તારીખ જાહેર કરવા માટે કહ્યુ છે.

Salary Hike: દિલ્લી સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓની સેલેરી વધારવાનુ એલાનSalary Hike: દિલ્લી સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓની સેલેરી વધારવાનુ એલાન

ઘણા દેશોમાં ન દેખાયો ચાંદ

ખગોળશાસ્ત્રીએ કહ્યુ હતુ કે આવતીકાલે ચંદ્ર દેખાશે નહીં અને તે ઘણી હદ સુધી સાચુ સાબિત થયુ કારણ કે વિશ્વના ઘણા દેશોમાં ચાંદ રાત નથી થઈ. તમને જણાવી દઈએ કે જે રાતે ઈદનો ચાંદ દેખાય છે તેને ચાંદ રાત કહેવામાં આવે છે.

યુપીમાં ઈદને લઈને માર્ગદર્શિકા જાહેર કરાઈ

  • ઉત્તર પ્રદેશમાં ઈદ, અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ પર રસ્તાઓ પર કોઈ શોભાયાત્રા કે કોઈ ધાર્મિક કાર્યક્રમ થશે નહીં. તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપવામાં આવ્યો છે કે લોકો તેમના ઘરે ધાર્મિક તહેવારો ઉજવે. આ સંદર્ભમાં, વિશેષ પોલીસ મહાનિર્દેશક (SDGP) પ્રશાંત કુમારે તમામ અધિકારીઓને સૂચના આપી છે.
  • સૂચના અનુસાર, ધાર્મિક પ્રસંગની આડમાં ટ્રાફિકને અવરોધવાની કોઈને જરૂર નથી.
  • દરેકને સોશિયલ મીડિયા પર ફેક વાયરલ વીડિયોથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.
  • તમને જણાવી દઈએ કે ઈદ-ઉલ-ફિત્ર, અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ 22 એપ્રિલે જ છે. વાતાવરણ ન બગડે તે માટે પોલીસે આવી સૂચનાઓ આપી છે.

Civil Services Day: PM મોદી આજે પ્રશાસનિક અધિકારીઓને કરશે સંબોધિત, આપશે ખાસ અવૉર્ડCivil Services Day: PM મોદી આજે પ્રશાસનિક અધિકારીઓને કરશે સંબોધિત, આપશે ખાસ અવૉર્ડ

ઉમંગ અને ખુશીઓનો તહેવાર

તમને જણાવી દઈએ કે ઈદ એ ખુશીનો તહેવાર છે, આ દિવસે લોકો નવા કપડા પહેરે છે અને લોકોને ભેટ આપે છે. સેવઈ ઘરે બનાવવામાં આવે છે, તેથી જ તેને મીઠી ઈદ કહેવામાં આવે છે. ઈદના તહેવાર સાથે રોજાનો અંત આવે છે અને લોકોની ત્રીસ દિવસની તપસ્યાનો અંત આવે છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ પેગમ્બરને રમઝાન મહિનામાં જ કુરાન અવતરિત થયુ હતુ, તેથી તેને પાક મહિનો કહેવામાં આવે છે.

શિસ્ત અને સંયમના પાઠ

આ મહિનો લોકોને શિસ્ત અને સંયમ શીખવે છે અને લોકોને ભગવાનની નજીક લઈ જાય છે. આ મહિનામાં, લોકો જરૂરિયાતમંદોને ખૂબ મદદ કરે છે અને તેમના પાપો માટે સર્વશક્તિમાન પાસેથી ક્ષમા માંગે છે.

Mercury Retrograde 2023: 21 એપ્રિલથી 25 દિવસ બુધ થશે વક્રી, જાણો રાશિઓ પર શું થશે અસરMercury Retrograde 2023: 21 એપ્રિલથી 25 દિવસ બુધ થશે વક્રી, જાણો રાશિઓ પર શું થશે અસર

English summary
Eid 2023 is celebrating in Saudi Arabia today, what says Supreme Court?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X