નબળા ગ્રહ પણ બનાવી શકે છે રાજા, જેમ નરેન્દ્ર મોદીને બનાવ્યા
નબળા ગ્રહ પણ બનાવી શકે છે રાજા, જેમ નરેન્દ્ર મોદીને બનાવ્યા
આમ તો કુંડલીમાં નબળા ગ્રહ લોકોના મનમાં અજીબ ડર પેદા કરી દે છે અને આવા ગ્રહોની દશાના નકારાત્મક પરિણામ મળવાની ભવિષ્યવાણી પણ કરવામાં આવે છે. જો કે કેટલીક કુંડલી એવી પણ હોય છે, જેમાં નબળા ગ્રહ વ્યક્તિને રાજા તરીકે સ્થાપિત કરી દે છે. આ યુગમાં રાજાનો મતલબ પદ, પ્રતિષ્ઠા, સમ્માન અને અધિકાર છે, જેના દમ પર વ્યક્તિ પોતાના સમુદાય કે ક્ષેત્રમાં પ્રભાવશાળી બની જાય છે.
નીચભંગ રાજયોગ અને ગ્રહોની સ્થિતિ મહત્વની હોય છે
જેમાં કુંડલીમાં બનતા નીચભંગ રાજયોગ, તેની સાથે કયા ગ્રહોના સંબંધ બની રહ્યા છે, કુંડલીમાં આ ગ્રહની સ્થિતિ ખાસ મહત્વપૂર્ણ હોય છે. આવી જ કુંડલી દેશના વર્તમાન વડાપ્રધાન મોદીની છે.
નરેન્દ્ર મોદીની કુંડલી
નરેન્દ્ર મોદીની કુંડલી વૃશ્ચિક લગ્નની છે, જેમાં યોગકારક ચંદ્રમા નબળો થઈ લગ્નમાં સ્થિત છે અને સાથે જ લગ્નેશ મંગળ પણ વિરાજમાન છે. કુંડલીમાં નબળા ચંદ્રમાનો શુક્ર અને મંગળ બંનેથી જ નીચભંગ થઈ રહ્યો છે. નીચભંગ રાજયોગનો મતલબ છે કે મુશ્કેલીઓ બાદ જીવનમાં સફળતા, જે નરેન્દ્ર મોદીની જીવનમાં સ્પષ્ટ જોવા મળે છે.
શ્રેષ્ઠ યોગ બની રહ્યો છે
આ ઉપરાંત ચંદ્રમા નવમેશ અને મંગ લગ્નેશ છે. લગ્નેશ અને નવમેશના સંબંધોને વૈદિક જ્યોતિષમાં એક શ્રેષ્ઠ રાજયોગ માનવામાં આવે છે. આવો વ્યક્તિ કેટલીય સંસ્થાઓની સ્થાપના કરે છે અથવા તો તેમાં સહાયક હોય છે.
ચંદ્રમાની મહાદશાએ અપાર સફળતા અપાવી
નરેન્દ્ર મોદીના જીવનમાં નબળા ગ્રહના ચંદ્રમાની મહાદશા નવેમ્બર 2011માં શરૂ થઈ હતી અને નવેમ્બર 2021 સુધી ચાલશે. આ ચંદ્રમાની દશામાં મોદી પાર્ટીની અંદરથી ઘણા સંઘર્ષ કર્યા બાદ વડાપ્રધાન પદના દાવેદાર બન્યા અને વિરાટ જીત પણ હાંસલ કરી. આની સાથે જ આ મહાદશા અવધિમાં તેમની દુનિયાના કેટલાક સૌથી તાકાતવર નેતાઓમાં પણ ગણતરી થવા લાગી. માટે જરૂરી નથી કે કુંડલીના નબળા ગ્રહોની દશાઓ જીવનમાં માત્ર સંઘર્ષ જ લાવે, બલકે જીવનમાં એવી સફળતાઓ પણ આપે છે જે યોગકારક ગ્રહ પણ ના અપાવી શકે.
ચંદ્રગ્રહણ, 30 નવેમ્બર, 2020: વર્ષના અંતિમ ચંદ્રગ્રહણ પર આ 3 રાશિઓએ સાવચેત રહેવુ