જયા-પાર્વતી વ્રતની વિધિ અને મહિમા
જાણો જયા-પાર્વતી વ્રતની વિધિ અને મહિમા
ગુજરાતમાં હાલ વ્રતની મોસમ ચાલી રહી છે, જેના પગલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખરીદીનો માહોલ છે. નાની નાની બાળકીઓના વ્રતનો આ સમય છે. કુંવારી કન્યાઓ જુલાઈ-ઓગસ્ટની મોસમમાં ગૌરી વ્રત અને ત્યારબાદ જયા પાર્વતી વ્રત કરે છે. આ વ્રત કરવા પાછળનો ઉદેશ્ય હોય છે કે, તેમને ભવિષ્યમાં સારો જીવનસાથી મળી રહે. પાંચ દિવસો સુધી ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે અને પૂનમના દિવસે આ વ્રતનું જાગરણ કરવામાં આવે છે. ત્યારબાદ જયા-પાર્વતી વ્રત કરવામાં આવે છે. આજે આપણે અહીં વાત કરીશું જયા-પાર્વતી વ્રતની..

જયા પાર્વતી વ્રત કુમારિકાઓ અને પરિણિત સ્ત્રીઓ બંન્ને કરી શકે છે. અષાઢ સુદ તેરસથી અષાઢ સુદ બીજ સુધી આ વ્રત કરવામાં આવે છે. ગુજરાતમાં જ નહિં પણ દેશના અન્ય ભાગોમાં પણ આ વ્રતને અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. સદગુણી અને સંસ્કારી પતિ મેળવવા માટે કુંવારી યુવતીઓ આ વ્રત કરે છે.
શિવને મેળવવા પાર્વતીએ કર્યું હતું આ વ્રત
પતિ સ્વરૂપે શિવને પામવા માટે પાર્વતીએ આ વ્રત કર્યું હતું. એવું કહેવાય છે કે, જે યુવતીઓ આ વ્રત કરે તેમને ભવિષ્યમાં સારો પતિ મળે છે. જયા-પાર્વતી વ્રતમાં કુંવારી દિકરીઓ મોળાકત ઉપવાસ રાખે છે અને માતા પાર્વતીની પૂજા કરે છે. કન્યાઓ સવારે વહેલા ઉઠી નહાઈ-ધોઈ મંદિરે જઈ મહાદેવ અને પાર્વતીને અબીલ-ગુલાલ, કુંકુ, નાડાછડી, કમરકાકડી, સાકર, નાગરવેલના પાન, ફૂલ, પળ, સોપારી, ધીપ-દીપ વડે પૂજન કરે છે.

મીઠાનો ત્યાગ
આ પાંચ દિવસ દરમિયાન કુંવારી છોકરીઓ ભોજનમાં મીઠાનો ત્યાગ કરે છે. જયા પાર્વતીની કથા સાંભળી ભોજનમાં દૂઘ, દૂધની બનાવટો, મીઠાઈઓ, ફળો અને ઘંઉના લોટની બનેલી વસ્તુઓનો એકટાણામાં ઉપયોગ કરે છે. પાંચ કે સાત વર્ષ સુધી આ વ્રત કરી અંતિમ દિવસે કુમારિકાઓને ઘરે બોલાવી સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે.
રાત્રિ જાગરણ
પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઈ શિવ-પાર્વતીની આરાધના કર્યા બાદ પાંચમા દિવસે રાત્રી જાગરણ કરવામાં આવે છે. જેમાં કુમારિકાઓ ઘરની બહાર નીકળી અનેક પરકારની રમતો રમી રાત્રી પસાર કરે છે. દોડપક્કડ, લંગડી, આંધળી ખીસકોલી, દોરડા વગેરે જેવી રમતો ટોળામાં રમાય છે.
દાનનું મહત્વ
વ્રત પૂરું કર્યા બાદ બ્રાહ્મણ કે સાધુને ક્ષમતા પ્રમાણે દાન કરવામાં આવે છે અને આ રીતે વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. સૌભાગ્ય અખંડિતા માટે કંકુ, કાજળ, શ્રૃંગારનો અન્ય સામાન પણ દાનમાં આપવામાં આવે છે.
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026



Click it and Unblock the Notifications
