Guru Margi 2022 : ગુરૂ ગ્રહ માર્ગીથી બનશે ગજકેસરી રાજયોગ, આ 3 રાશિનો થશે ભાગ્યોદય
Guru Margi 2022 : વૈદિક જ્યોતિષમાં ઘણા પ્રકારના યોગ જણાવવામાં આવ્યા છે. જીવનમાં ઘટતી ઘણી ઘટનાઓ માટે રાજયોગની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે.
Guru Margi 2022 : વૈદિક જ્યોતિષમાં ઘણા પ્રકારના યોગ જણાવવામાં આવ્યા છે. જીવનમાં ઘટતી ઘણી ઘટનાઓ માટે રાજયોગની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે. હંમેશા મહાપુરૂષોના યોગ વિશે ચર્ચા કરવામાં આવે છે, આવા રાજયોગ કુંડળીમાં હોય તો મોટામાં મોટી મુશ્કેલીમાંથી પણ વ્યક્તિ સરળતાથી નીકળી જાય છે અને જીવનમાં સફળ થાય છે. આ સાથે આવા યોગ વ્યક્તિને વૈભવ, ધન અને ખ્યાતિ અપાવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગજકેસરી યોગને અત્યંત શુભ માનવામાં આવે છે.
દેવગુરુ બૃહસ્પતિ માર્ગીથી ગજકેસરી રાજયોગ બનશે
આવા સમયે જે વ્યક્તિની કુંડળીમાં ગજકેસરી યોગ હોય છે, તેની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત હોય છે. તેની પાસે પૈસાની કમી નથી. આ સાથે તેને સમાજમાં માન-સન્માન મળે છે.
24 નવેમ્બરના રોજ દેવગુરુ બૃહસ્પતિ માર્ગી થવા જઈ રહ્યા છે. જેના કારણે ગજકેસરી રાજયોગ બનશે. આ યોગની અસર તમામ રાશિઓ પર જોવા મળશે, પરંતુ અમે તમને એવી 3 રાશિઓ વિશે જણાવી રહ્યા છીએ કે, જે આ યોગથી સારો આર્થિક લાભ અને કારકિર્દીમાં સફળતા મેળવી શકે છે.
મેષ રાશિ :
મેષ રાશિના લોકો માટે ગજકેસરી યોગ આર્થિક રીતે અતિ લાભદાયી બની શકે છે. મેષ રાશિના લોકોની કુંડળીમાં આ યોગ બારમા ભાવમાંબનશે.
બારમા ભાવને પ્રવાસનું સ્થળ માનવામાં આવે છે. આ યોગની અસરથી તમને બિનજરૂરી ખર્ચાઓથી મુક્તિ મળવાની સંભાવના છે. હવે તમે બચાવી શકો છો. જો તમે નવો ધંધો શરૂ કરવા માંગો છો, તો ગજકેસરી યોગ લાગુ પડતાં જ તમે આ કાર્યને પૂર્ણ કરી શકો છો.
આ સાથે તમને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. આ ઉપરાંત તમે વ્યવસાયના સંબંધમાં પ્રવાસનું આયોજન પણ કરી શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે.
વૃશ્ચિક રાશિ :
વૃશ્ચિક રાશિના જાતકોની કુંડળીમાં પાંચમા ભાવમાં ગજકેસરી યોગ બનવા જઈ રહ્યો છે. કરિયર અને બિઝનેસની દૃષ્ટિએ આ યોગવૃશ્ચિક રાશિના જાતકો માટે ફળદાયી સાબિત થઈ શકે છે.
આ દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોના પૈસા જો ક્યાંય અટવાયા હતા, તો તેઓને તરત જ પરત મળી જશે.
આર્થિક ક્ષેત્રે પણ લાભ થવાની સંભાવના છે. જો વિદ્યાર્થીઓ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, તો તેઓ તેમાં સફળતા મેળવી શકે છે.
તુલા રાશિ :
તુલા રાશિના જાતકો જે અવિવાહિત છે, તેમના માટે લગ્નની શક્યતા દેખાઈ રહી છે. તુલા રાશિના જાતકો શત્રુઓ પર વિજય મેળવીશકે છે.
જૂના રોગથી પણ છુટકારો મળી શકે છે. કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળી શકે છે.
કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસાથઈ શકે છે. તમારા ઘરમાં કોઈ ધાર્મિક અથવા માંગલિક કાર્યક્રમનું આયોજન પણ થઈ શકે છે.