Hartalika Teej 2024 Do's-Don'ts: હરતાલિકા તીજ પર ભૂલથી પણ ના કરતા આ કામ નહિતર થશે મોટુ નુકશાન
Hartalika Teej 2024 Dos-Donts: પોતાના સુહાગના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવતા હરતાલિકા તીજનો તહેવાર આજે 6 સપ્ટેમ્બરે છે. આ દિવસે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખે છે. આ વ્રત ખૂબ કઠિન માનવામાં આવે છે. જે આ વ્રત સાચા મનથી કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
અવિવાહિત છોકરીઓ પણ યોગ્ય જીવનસાથી શોધવા માટે આ વ્રત રાખે છે. પરંતુ આ વ્રતના કેટલાક નિયમો છે, જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જે તેનું પાલન ન કરે તેને આ વ્રતનું ફળ મળતું નથી. આવો જાણીએ હરતાલિકા તીજ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

હરતાલીકા તીજ માં શું કરવું(Hartalika Teej 2024 Dos)
આ દિવસે નિર્જળા વ્રત રાખવુ. વ્રતના દિવસે સવારે વહેલા ઉઠવું, સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. વ્રતના દિવસે મહિલાઓએ સોળ શૃંગાર કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. પરંપરાગત રીતે શિવલિંગનો જલાભિષેક કરો અને માતા પાર્વતીને 16 શણગાર ચઢાવો. હરતાલિકા તીજની વ્રત કથા સાંભળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરવાથી પુણ્ય મળે છે.
હરતાલિકા તીજમાં શું ન કરવુંHartalika Teej 2024 Donts)
હરતાલિકા તીજનું વ્રત નિર્જળા હોવાથી આ દિવસે પાણીનું સેવન કરવામાં આવતું નથી. વ્રત દરમિયાન મનને શાંત અને સકારાત્મક રાખવું જોઈએ. નકારાત્મક વિચાર, ક્રોધ અને ઈર્ષ્યાથી દૂર રહો. આ પવિત્ર દિવસે જૂઠ બોલવું અને કપટ કરવું પ્રતિબંધિત છે. ઉપવાસ દરમિયાન તામસિક ખોરાક (ડુંગળી, લસણ, માંસાહાર)નું સેવન ન કરો.
નોંધઃ આ લેખનો અર્થ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધા પેદા કરવાનો નથી. આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. વનઈન્ડિયા લેખ સાથે સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની પુષ્ટિ કરતું નથી, તેથી કોઈપણ માહિતીનો અમલ કરતા પહેલા, કૃપા કરીને જાણકાર જ્યોતિષ અથવા પંડિતનો અભિપ્રાય લો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
