Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Holi 2024: પૈસાની તંગીથી લઇને ગ્રહ દોષ, હોળીના રંગ આપશે છુટકારો

Holi 2024: ફાગણ સુદ પૂનમની તિથિના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય તહેવાર છે. હિન્દુ પંચાગમાં જણાવ્યા અનુસાર, હોળીનો તહેવાર આ વર્ષ 25 માર્ચના રોજ ઉજવવામાં આવશે. જેના બીજા દિવસે ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવશે.

જ્યોતિષમાં આ દિવસનું વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. આ દિવસે રંગો અને ગુલાલથી હોળી રમવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં હોળીના રંગો અને ગુલાલનો ઉપયોગ કરીને કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ ઉપાયોનું પાલન કરવાથી વ્યક્તિ ગ્રહ દોષ અને આર્થિક સંકડામણમાંથી મુક્તિ મેળવે છે.

Holi 2024

ધાર્મિક માન્યતાઓ અનુસાર, હોળીના દિવસે દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરવાથી વિશેષ લાભ મળે છે. એટલું જ નહીં આ દિવસે મંત્રોનો જાપ કરવાથી પણ શુભ ફળ મળે છે. વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન થાય છે. આજે આપણે હોળીના રંગો સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાયો વિશે જાણીશું.

હોળી 2024 પર રંગો સાથેના કરો આ ઉપાય

જો તમે માનસિક બિમારીથી પીડિત છો, અને તેનાથી જલ્દી રાહત મેળવવા માંગતા હોવ તો હોલિકા દહનના દિવસે એક સૂકું નારિયેળ, કાળા તલ, લવિંગ અને થોડા પીળા સરસવને લઈને તમારા માથા પર લગાવો. જે બાદ આ વસ્તુઓને આગમાં નાખી દેવાથી ફાયદો થાય છે.

આવા સમયે જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ શારીરિક રોગ અથવા બીમારીથી પીડાય છે, તો હોલિકા દહનના દિવસે તેના પર બળેલા દોરાની ભસ્મનું તિલક કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિને ફાયદો થાય છે.

શિવલિંગ પૂજાના સમયે હોલિકા દહનની ભસ્મ અર્પણ કરવાથી વ્યક્તિ ગ્રહ દોષથી મુક્તિ મેળવે છે. તેમજ પાણીમાં રાખ ભેળવીને સ્નાન કરવાથી પણ ફાયદો થાય છે. એવું કહેવાય છે કે, આ ઉપાય કરવાથી વ્યક્તિને વિશેષ લાભ થાય છે, અને કુંડળીના ક્રોધિત ગ્રહો શાંત થઈ જાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, વ્યક્તિએ ઘરના મુખ્ય દ્વાર પર ગુલાલની રોશની કરવી જોઈએ. તેની સાથે જ બે બાજુ દીવો પ્રગટાવવો ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી વ્યક્તિ આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવે છે, અને તેની આવક વધે છે. આ સાથે જ આ ઉપાય કરવાથી વ્યક્તિના વેપારમાં વૃદ્ધિ થાય છે.

હોળીના દિવસે દેવી લક્ષ્મીને લાલ ગુલાલની સાથે ફૂલ, ફળ વગેરે ચઢાવવાથી વ્યક્તિ વિશેષ લાભ મેળવે છે. આ દિવસે યોગ્ય રીતે દેવી લક્ષ્મીની પૂજા કરો અને આ ઉપાય કરવાથી આર્થિક તંગી દૂર થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લીલા રંગને સુખ અને સમૃદ્ધિ સાથે સંબંધ હોવાનું કહેવાય છે. અને તેને બુધનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં હોળી રમતી વખતે લીલા રંગના ગુલાલ અથવા અબીરનો ઉપયોગ કરો. તેની સાથે ઘરના બગીચામાં ગુલાલ અથવા અબીરનો છોડ લગાવવો ફાયદાકારક છે. આ સાથે ઘરના બગીચામાં કોઈપણ લીલા છોડ પર થોડો લીલો રંગ લગાવો. તેનાથી વ્યક્તિને વિશેષ લાભ થાય છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X