Palmistry: તમને કેવો પતિ મળશે, હાથની રેખા જણાવશે બધું જ
Palmistry: તમને કેવો પતિ મળશે, હાથની રેખા જણાવશે બધું જ
નવી દિલ્હીઃ હસ્તરેખા શાસ્ત્ર એક એવું સૂક્ષ્મ વિજ્ઞાન છે જેના દ્વારા સટીક ભવિષ્યવાણી કરી શકાય છે, પરંતુ તેના માટે હસ્તરેખા જોનારાને સારું અને ઉંડું જ્ઞાન હોવું જરૂરી છે. ઉથલા જ્ઞાન વાળા વ્યક્તિ સટીક ભવિષ્યવાણી ના કરી શકે. આજે અમે તમારા થનારા પતિના વ્યવહાર અને સ્વભાવ વિશે વાત કરશું. જે જાણવામાં તમારા હાથની રેખાઓ ઘણી મદદ કરતી હોય છે. જી હાં, છોકરીઓના હાથની રેખા આ આસાનીથી જાણી શકાય છે કે તેમને કેવા પ્રકારનો પતિ મળશે.
લવ લાઈન
હથેળીમાં સૌથી નાની આંગળીના મૂળમાં બુધ પર્વત હોય છે અને તેની ઠીક નીચે હથેળીમાં બહાર તરફથી આવતી એક ઉંડી, સીધી અને સ્પષ્ટ રેખા વિવાહ રેખા કહેવાય ચે. આ રેખાની ઠીક નીચેથી હથેળીની બહારથી આવી એક કર્વના રૂપમાં શનિ પર્વત એટલે કે મધ્યમા આંગળી સુધી જતી રેખા હ્રદય રેખા કહેવાય ચે. આ રેખાને લવ લાઈન પણ કહેવાય ચે. દાંપત્ય જીવન, પ્રેમ, જીવનસાથીના વ્યવહાર વગેરેનો પતો લગાવવા માટે આ બંને રેખાનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. આ રેખાની ઉંડાઈ, આકાર-પ્રકાર, લંબાઈ, આના પર રહેલ ચિન્હો વગેરેનું અધ્યયન કરવું જરૂરી છે.
આ છે કેટલાક નિયમ અને સંકેત
- જો વિવાહ રેખા નિર્દોષ હોય અને હ્રદય રેખામાં પણ કોઈ દોષ ના હોય. બંને રેખા સ્પષ્ટ હોય, સીધી હોય અને હ્રદય રેખા ગુરુ પર્વત સુધી જતી હોય તો જીવનસાતી સચાદારી, સંયમી, સભ્ય અને સારી કમાણી કરનારો હોય છે. તેના માટે પૈસાથી વધુ તેના પરિવાર અને જીવનસાથીની ખુશી હોય છે.
- જો હ્રદય રેખા હથેળીની કોરથી શરૂ થાય અને તેના શરૂઆતમાં પક્ષીના પાંખ જેવી રેખાઓ હોય તો જીવનસાથી ભાગ્યશાળી હોય ચે અને પોતાના કામ પ્રત્યે ઘણા પેશન્ટ હોય છે. આવો વ્યક્તિ એકવાર જે ધારી લે તે કરીને જ જંપે છે.
હ્રદય રેખા પણ દોષપૂર્ણ હોય છે
- જો વિવાહ રેખા નાની હોય અને હ્રદય રેખા પણ દોષપૂર્ણ હોય છે તો આવી સ્ત્રીને મળતો પતિ તેને પ્રેમ નથી કરતો. આવો વ્યક્તિ હંમેશા પોતાની જવાબદારીઓથી ભાગતો રહે છે.
- જો વિવાહ રેખા અંતિમ છેડે જઈ બે ભાગમાં વહેંચાઈ જાય અને એક એક રેખા હ્રદય રેખાને જઈને મળે તો આવો જીવનસાથી પોતાના માતા-પિતા અને પત્ની વચ્ચે સામંજસ્ય બનાવવામાં અસફળ રહે છે.
- જો વિવાહ રેખાની સમાંતર વધુ એક રેખા અને હ્રદય રેખા ઉંડી લાલ હોય તો આવા જીવનસાથીના અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ હોય છે.
- જો તમારા હાથમાં વિવાહ રેખા પર કાળું તીલ હોય તો જીવનસાથીનું મોત તમારા પહેલા થશે.
ઋષિ કપૂરનુ 67 વર્ષની વયે નિધન, સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ