Vastu Tips : અનિંદ્રાની સમસ્યા થશે દૂર, અપનાવો આ વાસ્તુ ટીપ્સ
Vastu Tips : વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાય વિશે જણાવવામાં આવ્યું છે કે, જેના થકી તમને અનિદ્રાની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ માટે તમારે તમારા ઓશિકા નીચે અમુક ખાસ વસ્તુઓ રાખવી પડશે.
Vastu Tips : જ્યોતિષ શાસ્ત્રની જેમ વાસ્તુ શાસ્ત્ર પણ માનવ જીવનમાં મહત્વ ધરાવે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાય આપવામાં આવ્યા છે, જેનાથી તમને સફળ થવામાં મદદ મળે છે. આ સાથે ઘરમાં નકારાત્મકતા પણ દૂર થાય છે. આ સાથે જીવનમાં સારી ઉંઘ પણ અતિ આવશ્યક છે.
વર્તમાન સમયમાં ઘણા કારણોસર લોકોને અનિંદ્રાની સમસ્યા રહે છે. આ સમસ્યાનું સમાધાન પણ વાસ્તુ શાસ્ત્રમાં છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાય વિશે જણાવવામાં આવ્યું છે કે, જેના થકી તમને અનિદ્રાની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ માટે તમારે તમારા ઓશિકા નીચે અમુક ખાસ વસ્તુઓ રાખવી પડશે, જેનાથી તમને સારી રીતે ઉંઘવામાં મદદ મળશે.
ભગવત ગીતા
વાસ્તુશાસ્ત્ર અનુસાર, સૂતી વખતે ગીતા અથવા સુંદરકાંડને તકિયા નીચે રાખવાથી મન શાંત થાય છે. આ સાથે રાત્રે સારી ઊંઘ આવે છે. આઉપરાંત આમ કરવાથી કાર્યમાં પ્રદર્શન પણ સુધરે છે. જે સાથે સાથે કુંડળીમાં ગુરુ પણ બળવાન બને છે.
મૂળા
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઊંઘની સમસ્યા ઘણી વધી ગઈ હોય, તો મૂળાનો ઉપાય કરો. આ માટે રાત્રે સૂતી વખતે ઓશીકા નીચે મૂળો મૂકોઅને સવારે સ્નાન કર્યા બાદ તે મૂળા શિવલિંગ પર ચઢાવી દેવો જોઈએ. આમ કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થશે. જે સાથે સાથે રાહુ દોષપણ દૂર થશે.
તાંબાના વાસણમાં પાણી
ઉંઘની સમસ્યાને દૂર કરવા માટે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને સૂઈ જાઓ અને સવારે આ પાણીને છોડ કે ઝાડને પીવડાવી દો. આમકરવાથી સૂર્ય પણ બળવાન રહેશે, કરિયરમાં પ્રગતિ થશે. આ સાથે સાથે અનિદ્રાની સમસ્યા પણ દૂર થશે.
આખા મગ
આખા મગને લીલા કપડામાં બાંધીને ઓશિકા નીચે મૂકીને મંગળવારની રાત્રે સૂઈ જાઓ. બીજા દિવસે આ મગ કોઈ કન્યાને દાન કરી દોઅથવા મા દુર્ગાને અર્પણ કરો. આમ કરવાથી કુંડળીમાં બુધ ગ્રહ બળવાન બને છે. આ સાથે સાથે ધંધો વધે છે અને આવક પણ વધે છે.
છરીઓ અથવા લોખંડની ગોળી
જો તમને ખરાબ સપનાં આવે કે આઘાત લાગ્યો હોય, તો તમારા ઓશિકા નીચે છરી કે લોખંડની ગોળીઓ રાખો અને રાત્રે સૂઈ જાઓ. તમેલોખંડની ચાવી રાખીને પણ સૂઈ શકો છો. આવું કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. તેની સાથે જ શનિ, રાહુ અને કેતુ દોષથી પણ રાહતમળે છે.