Janmashtami 2022: જન્માષ્ટમી પર છે અતિ દૂર્લભ યોગ, આ ચાર રાશિઓ માટે છે શુભ, વાંચો પૂજા વિધિ- મંત્ર
આ વખતે જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ માટે ઉજવવામાં આવ્યો છે. આ ચાર રાશિઓ માટે છે શુભ.
નવી દિલ્લીઃ આ વખતે જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ માટે ઉજવવામાં આવ્યો છે. કેટલાક લોકોએ ગુરુવારે ઉપવાસ રાખ્યા તો કેટલાક લોકો આજે ઉપવાસ કરી રહ્યા છે. આ વખતે આ તહેવાર એક ખાસ સંયોગમાં આવ્યો છે, જેનાથી વૃષભ, કર્ક, સિંહ અને તુલા રાશિને ફાયદો થવાનો છે. આ રાશિઓ પર કૃષ્ણની વિશેષ કૃપા રહેશે. આ ચાર રાશિઓને ધનનો વિશેષ લાભ મળશે. જો કે, કાન્હાજી તેમના દરેક ભક્તનું ખાસ ધ્યાન રાખે છે, તેથી આ દિવસ તમામ રાશિઓ માટે સારા સમાચાર લઈને આવ્યો છે. જો કે, ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ તેમના વિશે..
- કૃષ્ણની પૂજામાં સોપારીનો સમાવેશ કરો અને પૂજા કર્યા પછી તમે તેને પર્સ અથવા તિજોરીમાં રાખો, તમને હંમેશા આર્થિક લાભ મળશે.
- કૃષ્ણની પૂજામાં ગાય કે વાછરડાનો ફોટો લગાવવાથી વ્યક્તિના ઘરમાં હંમેશા સંતાન સુખ રહે છે.
- નોકરીમાં પ્રમોશન જોઈતું હોય તો કૃષ્ણને સફેદ મીઠાઈ કે ખીર ચઢાવો.
પૂજા વિધિ
- જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની જન્મજયંતિ રાત્રે 12 વાગ્યે ઉજવવામાં આવે છે.
- આ દિવસે ભગવાન કૃષ્ણને દૂધ અને ગંગાના જળથી સ્નાન કરાવો અને તેમને સુંદર વસ્ત્રો પહેરાવો.
- આ પછી તેમને મોરપીંછ, મુગટ, વાંસળી, ચંદન, વૈજયંતી માળા, તુલસી દળ વગેરેથી સજ્જ કરો.
- હવે ફૂલો, માળા, ફળો, માખણ, મિશ્રી, મિઠાઈઓ, સૂકા ફળો વગેરે ચઢાવો.
- આ પછી ધૂપ-દીપ પ્રગટાવો.
- બાળ શ્રી કૃષ્ણની આરતી કરો અને દરેકને પ્રસાદ વહેંચો.
- આ સાથે, ભૂલ અને ચૂક માટે માફી માંગો.
જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણની પૂજા આ મંત્રોથી કરવી જોઈએ
श्रीकृष्ण
गोविन्द
हरे
मुरारे,
हे
नाथ
नारायण
वासुदेव।।
कृं
कृष्णाय
नम:।
ऊं
श्रीं
नम:
श्रीकृष्णाय
परिपूर्णतमाय
स्वाहा।
गोवल्लभाय
स्वाहा
।
गोकुल
नाथाय
नम:
।
क्लीं
ग्लौं
क्लीं
श्यामलांगाय
नम:।
ऐं
क्लीं
कृष्णाय
ह्रीं
गोविंदाय
श्रीं
गोपीजनवल्लभाय
स्वाहा
ह्र्सो।
ऊं
नमो
भगवते
श्रीगोविन्दाय।