Janmashtami 2022: કાન્હાને કેમ કહેવામાં આવે છે લડ્ડુ ગોપાલ?
જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર તોફાની 'લડ્ડુ ગોપાલ'ની પૂજા કરવામાં આવે છે. જાણો શ્રીકૃષ્ણને લડ્ડુ ગોપાલ કેમ કહેવામાં આવે છે.
નવી દિલ્લીઃ દેશમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે, આ વખતે પણ આ તહેવાર બે દિવસ મનાવવામાં આવી રહ્યો છે. કેટલાક લોકોએ આજે ઉપવાસ રાખ્યા છે તો કેટલાક કાલે ઉપવાસ રાખશે. તે જાણીતુ છે કે દેવકીનંદનનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો. જો કે કાન્હાજીનુ દરેક સ્વરૂપ ખૂબ જ આકર્ષક છે પરંતુ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર તોફાની 'લડ્ડુ ગોપાલ'ની પૂજા કરવામાં આવે છે.
કાન્હાને લડ્ડુ ગોપાલ કેમ કહેવામાં આવે છે
લડ્ડુ ગોપાલને બાળ કૃષ્ણ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેઓ ઘૂંટણિયે ચાલે છે, તેમના એક હાથમાં લાડુ હોય છે. હવે તમે વિચારતા હશો કે કાન્હાજીને માખણ અને દહીં ગમે છે તો પછી તેમને લડ્ડુ ગોપાલ કેમ કહેવામાં આવે છે?
આની પાછળ છે એક રસપ્રદ વાર્તા
વાસ્તવમાં તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે. એવુ કહેવાય છે કે બ્રજ ભૂમિમાં ભગવાન કૃષ્ણના એક મહાન ભક્ત કુંભનદાસ હતા. જેમને એક નાનો પુત્ર રઘુનંદન હતો. કુંભનદાસ મુરલીવાલાના પરમ ભક્ત હતા. તે દિવસ-રાત તેમની પૂજા કરતા હતા તેથી તે પોતાનુ ઘર અને મંદિર છોડીને ક્યાંય જતા નહોતા પરંતુ એકવાર તેને વૃંદાવનથી ભાગવત કથાનુ આમંત્રણ મળ્યુ જેને તે ના પાડી શક્યા નહિ. તેમણે ઘણુ વિચાર્યા પછી જવાનુ મન બનાવ્યુ. અને પોતાના પુત્રને ભગવાનની ભક્તિની જવાબદારી સોંપીને ગયા અને કહ્યુ કે સાંજે ભગવાનને ભોગ અવશ્ય ધરાવજે.
પ્રભુએ ધર્યુ બાળરુપ
સાંજે, રઘુનંદને શ્રીકૃષ્ણની વિધિવત પૂજા કરી અને ભગવાનની સામે ભોગની થાળી પીરસી. તે નાનો બાળક હતો. તેણે વિચાર્યુ કે ભગવાન તેમના હાથે ભોગ ખાશે. પરંતુ જો એમ ન થયુ તો તે જોર જોરથી રડવા લાગ્યો. તેને લાગ્યુ કે ભગવાન તેની પૂજાથી નારાજ થયા છે. જ્યારે ભગવાને તેના રડવાનો અવાજ સાંભળ્યો ત્યારે તે તેનાથી દૂર રહી શક્યા નહિ. તેમણે બાળકનુ રૂપ ધારણ કર્યુ અને રઘુનંદનની સામે દેખાયા. તેમને જોઈને રઘુનંદન પ્રસન્ન થયા અને નમીને તેમની સામે ભોગની થાળી મૂકી.
કુંભનદાસને થઈ શંકા
ભગવાને બધો પ્રસાદ ખાધો અને પછી અનેક આશીર્વાદો સાથે અદૃશ્ય થઈ ગયા. કુંભનદાસ જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે ભોગની થાળી એકદમ સાફ જોઈને તેમને આશ્ચર્ય થયુ, પણ પછી તેમણે વિચાર્યુ કે કદાચ રઘુનંદનને ભૂખ લાગી હશે, તેણે ખાધુ હશે, પણ હવે તો રોજની સ્થિતિ બની ગઈ છે. તેણે જોયુ કે રઘુનંદન તેના કરતાં ભગવાનની પૂજામાં વધુ રસ ધરાવતો હતો, જેના કારણે તે શંકાસ્પદ બન્યો. એક દિવસ તે મંદિરની દિવાલ પાછળ છુપાઈ ગયો જેથી તેનુ સત્ય જાણવા મળે.
રઘુનંદને ભગવાનની પૂજા કરી અને ભોગની થાળી ધરાવી
સાંજ પડતાં જ રઘુનંદને ભગવાનની પૂજા કરી અને ભોગની થાળી પીરસી. ભગવાન બાળકના રૂપમાં પ્રગટ થયા તે જોઈને કુંભનદાસ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. તે ભાવુક થઈ ગયો અને તરત જ સામેથી બહાર આવ્યો અને ભગવાનના ચરણોમાં પડ્યો. તે સમયે ભગવાનના એક હાથમાં લાડુ હતા. તેઓ એ જ સ્વરૂપે તે ત્યાં જડાઈ ગયા. ગોપાલ તો તેમને હંમેશા કહેતા જ હતા અને તેમના હાથમાં લાડુ હતા તેથી તેમનુ નામ લડ્ડુ ગોપાલ પડ્યુ અને જન્માષ્ટમી પર તેમના આ મોહક સ્વરૂપની પૂજા થવા લાગી.