Janmashtami 2025 : ક્યારે છે ભગવાન શ્રીકૃષ્ણનો 5252મો જન્મોત્સવ જન્માષ્ટમી?
Janmashtami 2025 : હિન્દુ ધર્મના સૌથી ભવ્ય તહેવારોમાંનો એક એટલે જન્માષ્ટમી. આ પવિત્ર દિવસ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના દિવસે મધ્યરાત્રિએ રોહિણી નક્ષત્રમાં થયો હતો. દર વર્ષે આ અદ્ભુત દિવસને ભક્તિ અને ઉલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે.

આ વર્ષે જન્માષ્ટમીની તારીખને લઈને ભક્તોમાં થોડી મૂંઝવણ જોવા મળી રહી છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે? આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવવામાં આવશે.
જ્યોતિષીય ગણના અને પંચાંગ અનુસાર, કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી 16 ઓગસ્ટ, 2025 શનિવારે કરવામાં આવશે. તિથિ અને નક્ષત્રના સમય નીચે મુજબ છે.
- આઠમ તિથિનો પ્રારંભ: 15 ઓગસ્ટ 2025, સવારે 11:49 કલાકે.
- આઠમ તિથિ સમાપ્ત: 16 ઓગસ્ટ 2025, રાત્રે 9:34 કલાકે.
- રોહિણી નક્ષત્રનો પ્રારંભ: 17 ઓગસ્ટ 2025, સવારે 4:38 કલાકે.
- રોહિણી નક્ષત્ર સમાપ્ત: 18 ઓગસ્ટ 2025, સવારે 3:17 કલાકે.
- ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ મુખ્યત્વે 16 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવાશે.
જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે ભક્તો વ્રત રાખે છે. આ વ્રતના નિયમો વિવિધ પરંપરાઓ અનુસાર અલગ-અલગ હોય છે.
ઘણા ભક્તો સૂર્યોદયથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી વ્રત રાખે છે અને ભગવાનના જન્મ બાદ વ્રતનું પારણું કરે છે. કેટલાક લોકો વ્રતના પારણા બીજા દિવસે સૂર્યોદય પછી કરે છે.
અમુક કૃષ્ણ ભક્તો રોહિણી નક્ષત્ર કે આઠમની તિથિ સમાપ્ત થયા બાદ જ વ્રતનું પારણું કરવાનું પસંદ કરે છે. આ વ્રતમાં સામાન્ય રીતે ફળાહારી ભોજન સિવાય કંઈપણ ગ્રહણ કરી શકાતું નથી.
જન્માષ્ટમીનો તહેવાર ભક્તિ, શ્રદ્ધા અને આનંદનો સંદેશ લઈને આવે છે. આ દિવસે મંદિરોમાં ભજન-કીર્તન અને વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન થાય છે. ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરી, પારણાં ઝુલાવી અને તેમની ભક્તિમાં લીન થઈ જાય છે.












Click it and Unblock the Notifications
