14 કે 15 જાન્યુઆરી? જાણો કઈ તારીખે છે મકરસંક્રાંતિ? દાન ક્યાં દિવસે કરવુ?

ભારતમાં મકરસંક્રાંતિનું અનોખુ મહત્વ છે. સામાન્ય રીતે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના આ દિવસે દાન કરવાનો મહિના છે. જો કે આ વખતે 15 જાન્યુઆરીએ છે.

મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્યને વિધિપૂર્વક અર્ઘ્ય અર્પણ કરવાથી વ્યક્તિ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે.

Makar Sankranti

આ દિવસે કરવામાં આવેલ દાનને મહાદાન કહેવામાં આવે છે. તે ઘણા શુભ ફળ પ્રદાન કરે છે. આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી વિશેષ ફળ મળે છે.

હિન્દુ કેલેન્ડર મુજબ, આ વખતે મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય ભગવાન ધનુરાશિ છોડીને 02:54 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે.

જ્યોતિષમાં દાનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. મકરસંક્રાંતિના દિવસે ગરમ વસ્ત્રોનું દાન કરવાથી શુભ ફળ મળશે. શિયાળો ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં મકરસંક્રાંતિના દિવસે ગરમ વસ્ત્રો, ધાબળા વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

માન્યતા છે કે, આ દિવસે તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તલનું દાન કરવાથી શનિદેવની કૃપા મળે છે. તેની સાથે સૂર્યનું બળ વ્યક્તિના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. વ્યક્તિને મૃત્યુનો ડર પણ નથી રહેતો.

મકરસંક્રાંતિના દિવસે ઘીનું દાન પણ કરી શકાય. કહેવાય છે કે આ દિવસે ઘીનું દાન કરવાથી વ્યક્તિ દરેક રોગથી મુક્તિ મેળવે છે. તેમજ કુંડળીમાં સૂર્ય-ગુરુની સ્થિતિ મજબૂત છે.

મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે ગોળ સાથે તલ અને ચોખાથી બનેલા લાડુનું દાન કરવું શુભ માનવામાં આવે છે. શિવ પુરાણમાં કહેવાયું છે કે જે વ્યક્તિ આવું દાન કરે છે તેને જીવનમાં પ્રગતિ અને સન્માન મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે અડદ અને ચોખાથી બનેલી ખીચડીનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી શુભતા જળવાઈ રહે છે. આ દિવસે ખીચડીનું દાન કરવાથી કુંડળીમાં સૂર્ય, ચંદ્ર અને ગુરુની સ્થિતિ મજબૂત બને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X