14 કે 15 જાન્યુઆરી? જાણો કઈ તારીખે છે મકરસંક્રાંતિ? દાન ક્યાં દિવસે કરવુ?
ભારતમાં મકરસંક્રાંતિનું અનોખુ મહત્વ છે. સામાન્ય રીતે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના આ દિવસે દાન કરવાનો મહિના છે. જો કે આ વખતે 15 જાન્યુઆરીએ છે.
મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્યને વિધિપૂર્વક અર્ઘ્ય અર્પણ કરવાથી વ્યક્તિ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે.

આ દિવસે કરવામાં આવેલ દાનને મહાદાન કહેવામાં આવે છે. તે ઘણા શુભ ફળ પ્રદાન કરે છે. આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી વિશેષ ફળ મળે છે.
હિન્દુ કેલેન્ડર મુજબ, આ વખતે મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય ભગવાન ધનુરાશિ છોડીને 02:54 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે.
જ્યોતિષમાં દાનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. મકરસંક્રાંતિના દિવસે ગરમ વસ્ત્રોનું દાન કરવાથી શુભ ફળ મળશે. શિયાળો ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં મકરસંક્રાંતિના દિવસે ગરમ વસ્ત્રો, ધાબળા વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
માન્યતા છે કે, આ દિવસે તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તલનું દાન કરવાથી શનિદેવની કૃપા મળે છે. તેની સાથે સૂર્યનું બળ વ્યક્તિના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. વ્યક્તિને મૃત્યુનો ડર પણ નથી રહેતો.
મકરસંક્રાંતિના દિવસે ઘીનું દાન પણ કરી શકાય. કહેવાય છે કે આ દિવસે ઘીનું દાન કરવાથી વ્યક્તિ દરેક રોગથી મુક્તિ મેળવે છે. તેમજ કુંડળીમાં સૂર્ય-ગુરુની સ્થિતિ મજબૂત છે.
મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે ગોળ સાથે તલ અને ચોખાથી બનેલા લાડુનું દાન કરવું શુભ માનવામાં આવે છે. શિવ પુરાણમાં કહેવાયું છે કે જે વ્યક્તિ આવું દાન કરે છે તેને જીવનમાં પ્રગતિ અને સન્માન મળે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે અડદ અને ચોખાથી બનેલી ખીચડીનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી શુભતા જળવાઈ રહે છે. આ દિવસે ખીચડીનું દાન કરવાથી કુંડળીમાં સૂર્ય, ચંદ્ર અને ગુરુની સ્થિતિ મજબૂત બને છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
