કર્મો ખરાબ હોય તો ગમે એટલા ઉચ્ચ ગ્રહો પણ નથી આપતા શુભ પ્રભાવ
ઘણા જાતકોના જન્માક્ષરમાં એકથી એક ચડિયાતા ઉચ્ચ ગ્રહો હોય છે પરંતુ તેમછતાં પણ તેમને આનો શુભ પ્રભાવ નથી મળતો. આવો જાણીએ વિસ્તારથી...
નવી દિલ્લીઃ ઘણા જાતકોના જન્માક્ષરમાં એકથી એક ચડિયાતા ઉચ્ચ ગ્રહો હોય છે પરંતુ તેમછતાં પણ તેમને આનો શુભ પ્રભાવ નથી મળતો. પછી તે જ્યોતિષીઓ પાસે ભટકતા રહે છે અને પૂછતા રહે છે કે આખરે કયા કારણે ઉચ્ચ ગ્રહો હોવા છતાં પણ તે મુશ્કેલીઓથી ઘેરાયેલા છે. આનો જવાબ જ્યોતિષના ગ્રંથ લાલ કિતાબમાંથી મળે છે. લાલ કિતાબ અનુસાર જાતકના કર્મ ખરાબ હોય તો ઉચ્ચ ગ્રહો પણ પોતાનો શુભ પ્રભાવ નથી બતાવી શકતા. ઉચ્ચ ગ્રહનો વ્યક્તિ પણ ક્યારેક-ક્યારેક પોતાના વ્યવહાર કે દ્રષ્ટિથી ગ્રહના પ્રભાવને ખતમ કરી દે છે જેનાથી ઉચ્ચ ગ્રહ પણ નીચનો પ્રભાવ આપવા લાગે છે. આવો જાણીએ વિસ્તારથી...

કયા ભાવમાં કયા ગ્રહ ઉચ્ચ હોય છે...
- સૂર્ય - પ્રથમ ભાવમાં
- ચંદ્ર - દ્વિતીય ભાવમાં
- રાહુ - તૃતીય ભાવમાં
- ગુરુ - ચતુર્થ ભાવમાં
- બુધ - છઠ્ઠા ભાવમાં
- શનિ - સપ્તમ ભાવમાં
- કેતુ - નવમ ભાવમાં
- મંગલ - દશમ ભાવમાં
- શુક્ર - દ્વાદશ ભાવમાં
પંચમ, અષ્ટમ અને એકાદશ ભાવમાં કોઈ ગ્રહ ઉચ્ચનો નથી હોતો.
સૂર્ય - જન્માક્ષરમાં જો ઉચ્ચના સૂર્યવાળો જાતક અનાચાર, અત્યાચારમાં લિપ્ત હોય, પોતાના ઉચ્ચાધિકારી, પિતા સમાન વ્યક્તિઓ સાથે દુર્વ્યવહાર કરતો હોય તો ઉચ્ચનો સૂર્ય વિપરીત ફળ આપવા લાગે છે.
ચંદ્ર - ઉચ્ચ ચંદ્રવાળો વ્યક્તિ જો પોતાની માતા, નાની કે દાદીનો નિરાદર કરે તો ઉચ્ચના ચંદ્રનો પ્રભાવ ક્ષીણ થઈ જાય છે અને જાતકને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
મંગળ - ઉચ્ચ મંગળવાળો વ્યક્તિ જો પોતાના મિત્ર કે ભાઈ સાથે વિશ્વાસઘાત કરે તો મંગળ ઉચ્ચ હોવા પર પણ પોતાનો પ્રભાવ નથી આપી શકતો.
બુધ - ઉચ્ચ બુધવાળો જાતક જો કોઈ દેવી, બહેન, કન્યા કે ફોઈ, માસીનુ નિરાદર કે અપમાન કરે તો ઉચ્ચ બુધનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે.
બૃહસ્પતિ - જન્માક્ષરમાં ઉચ્ચ બૃહસ્પતિવાળો જાતક જો કોઈ બ્રાહ્મણ, દેવતા, પોતાના દાદ, નાના કે પિતાનો નિરાદર કે અપમાન કરે તો બૃહસ્પતિ પોતાનો ઉચ્ચ પ્રભાવ નથી આપતો.
શુક્ર - ઉચ્ચ શુક્રવાળો વ્યક્તિ કોઈ ગાયને હેરાન કરે કે પછી કોઈ સ્ત્રીનુ અપમાન કરે, પત્નીને હેરાન કરે તો શુક્રનો ઉચ્ચ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે.
શનિ - ઉચ્ચ શનિવાળો વ્યક્તિ જો માસાંહાર અને દારુનુ સેવન કરે કે પછી પોતાના કાકા અથવા દાદાનુ અપમાન કરે તો ઉચ્ચનો શનિ પોતાનો પ્રભાવ નથી બતાવી શકતો.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી












Click it and Unblock the Notifications
