Karwa Chauth 2024: શું ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ માટે રાખી શકે છે કડવા ચોથનું વ્રત? જાણો નિયમ
Karwa Chauth 2024: હિન્દુ ધર્મમાં કડવા ચોથના વ્રતનું ઘણું મહત્વ છે. કડવા ચોથનું વ્રત પરિણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે. જેમાં તેઓ સમગ્ર દિવસ દરમિયાન નિર્જળા ઉપવાસ રાખે છે, અને રાત્રે ચંદ્રદેવના દર્શન કરીને પોતાનું વ્રત ખોલે છે.
આવામાં ઘણા નવી નવી પ્રેમિકાઓ પોતાના પ્રિયતમ માટે કડવા ચોથનું વ્રત રાખતી હોય છે. જો તમે પણ તમારા પ્રેમી માટે કડવા વ્રત ચોથનું વ્રત રાખવા માંગો છો તો આ અહેવાલ ખાસ તમારા માટે જ છે.
દર વર્ષે કડવા ચોથના પવિત્ર તહેવાર પર, પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને તેમના પરિવારની સુખ અને શાંતિ માટે વ્રત રાખે છે. હાલ અપરણિત છોકરીઓના મનમાં સવાલ થતો હશે કે, શું ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડ માટે આ વ્રત રાખી શકે છે?
હિન્દુ કેલેન્ડર અનુસાર, દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચોથની તિથિએ કડવા ચોથનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે આ તારીખ 20 ઓક્ટોબરના રોજ સવારે 6:40 વાગ્યાથી શરૂ થશે અને 21 ઓક્ટોબરના રોજ સવારે 4:16 વાગ્યે સમાપ્ત થશે.
ઉદયા તિથિ અનુસાર, કડવા ચોથનું વ્રત મુખ્યત્વે 20 ઓક્ટોબરના રોજ રાખવામાં આવશે. પૂજા માટેનો શુભ સમય સાંજે 5:46 થી 7:09 સુધીનો રહેશે, જ્યારે ચંદ્ર 7:54 કલાક બાદ દેખાશે.
પરિણીત મહિલાઓ માટે કડવા ચોથનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ તેમના પતિના લાંબા આયુષ્ય, તેમના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તેમના દામ્પત્ય જીવનને ખુશ રાખવા માટે આ વ્રત કરે છે. વર્તમાન સમયમાં પતિઓ પણ પોતાની પત્નીના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, કડવા ચોથના વ્રતથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે, અને દામ્પત્ય જીવનમાં સુખ-શાંતિ પણ આવે છે.
જોકે, આ ઉપવાસ મુશ્કેલ છે. કારણ કે, ખોરાક અને પાણીના સેવન પર પ્રતિબંધિત છે. નિર્જળા ઉપવાસ હોવા છતાં પરિણીત યુગલો આ વ્રત સંપૂર્ણ વિધિઓ સાથે પાળે છે.
વર્તમાન મોર્ડન જમાનાની યુવા પેઢી પણ પોતાના પ્રેમી કે ભાવિ જીવનસાથી માટે કડવા ચોથનું વ્રત રાખે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું અપરિણીત છોકરીઓએ આ વ્રત રાખવું જોઈએ કે કેમ?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગર્લફ્રેન્ડ તેમના બોયફ્રેન્ડ અથવા ભાવિ પતિ માટે કડવા ચોથનું વ્રત રાખી શકે છે. જે લોકો પ્રેમ સંબંધમાં નથી અથવા સગાઈ નથી થઈ તેઓ પણ તેમના ભાવિ પતિ માટે આ વ્રત રાખી શકે છે. જોકે, અપરિણીત મહિલાઓએ કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
કડવા ચોથના વ્રતના દિવસે પરિણીત મહિલાઓને સાસુ દ્વારા સરગી આપવામાં આવે છે, સૂર્યોદય પહેલા તેનું સેવન કર્યા બાદ વ્રત શરૂ થાય છે, પરંતુ અપરિણીત છોકરીઓ જાતે સરગી ખરીદી શકે છે, અને સૂર્યોદય પહેલા પહેરી શકે છે.
સરગી બાદ નવા વસ્ત્રો પહેરીને ભગવાનનું નામ લઈને વ્રત કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. આ પછી ભગવાન ગણપતિ અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
કડવા ચોથનું વ્રતના પારણા પરિણીત અને અપરિણીત મહિલાઓ માટે અલગ છે. જ્યારે પરિણીત મહિલાઓ ચંદ્રને જોઈને અને પતિના હાથનું પાણી પીને ઉપવાસ તોડે છે.
જ્યારે અપરિણીત છોકરીઓ ચંદ્રને બદલે તારાઓ જોઈને અને ચાળણીનો ઉપયોગ કરીને ઉપવાસ તોડી શકે છે. તારાઓ જોયા પછી, અપરિણીત મહિલાઓ પોતે પાણી અથવા મીઠાઈનું સેવન કરી શકે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત












Click it and Unblock the Notifications
