Karwa Chauth 2024: શું પતિ પણ રાખી શકે છે કરવા ચોથનું વ્રત? જાણો શું છે નિયમ?
Karwa Chauth 2024: હિન્દુ ધર્મમાં કરવા ચોથના વ્રતનું ઘણુ મહત્વ છે. પરિણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. જે પતિ-પત્નીનું પ્રેમ અને સમર્પણ દર્શાવે છે. આનાથી સૌભાગ્યમાં વધારો થાય છે.
હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જળા ઉપવાસ રાખે છે.
જે બાદ સાંજે તેઓ ચાળણી દ્વારા ચંદ્ર અને તેમના પતિને જોઈને ઉપવાસ તોડે છે. આવા સમયે, આ વ્રતને લઈને ઘણી માન્યતાઓ છે, જેમાંથી એકનો ઉલ્લેખ કરીશું.
શું પતિ પણ કરવા ચોથનું વ્રત રાખી શકે? - કરવા ચોથનું વ્રત ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિ માટે વ્રત રાખે છે.
પત્નીઓ પોતાના લાંબા આયુષ્ય માટે ભૂખ્યા-તરસ્યા રહીને કડક ઉપવાસ કરે છે, જ્યારે કેટલાક પતિઓ પોતાની પત્નીઓ માટે આ ઉપવાસ રાખે છે, પરંતુ લોકોના મનમાં એક શંકા રહે છે કે, આ ઉપવાસ કરવો જોઈએ કે નહીં?

ઉલ્લેખનીય છે કે, પતિઓ પોતાની પત્નીઓ માટે કરાવવા ચોથનું વ્રત રાખવાથી કોઈ નુકસાન થતું નથી. બલ્કે આ વ્રતની અસરથી સંબંધોમાં મધુરતા વધે છે. તેની સાથે જ વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે.
આ સિવાય પરિવારમાં સમૃદ્ધિ બની રહે છે. જોકે, શાસ્ત્રોમાં ક્યાંય તેનો ઉલ્લેખ નથી, પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, પતિઓ પણ આ વ્રત વિના સંકોચ રાખી શકે છે.
કરવા ચોથનું મહત્વ - કરવા ચોથનો તહેવાર પત્નીની શક્તિ અને તેના પતિ પ્રત્યેના સમર્પણનું પ્રતિનિધિત્વ કરે છે. તે પ્રતિકૂળ સંજોગોમાં અતૂટ પ્રેમ, વિશ્વાસ અને નિશ્ચયની શક્તિનું પ્રતીક છે.
કરવા ચોથનું વ્રત કરવાથી પતિ-પત્ની વચ્ચેના સંબંધો મજબૂત બને છે, અને દાંપત્ય જીવનમાં ખુશીઓ આવે છે. આ દિવસે મહિલાઓ વિવિધ પ્રકારની પૂજા વિધિઓનું પાલન કરે છે. આ ઉપરાંત તેઓ આ દિવસની તમામ ધાર્મિક વિધિઓ ભક્તિ સાથે કરે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
