આજે 'દેવઉઠી અગિયારસ', લગ્નની મૌસમ શરુ, જાણો લગ્ન મુહૂર્ત
દેવઉઠી અગિયારસથી લગ્નોની મૌસમ શરુ થઈ જાય છે. માંગલિક કામો કરવા માટેના શુભ મુહૂર્ત જાણો અહી...
નવેમ્બર 2016 ના રોજ દેવઉઠી અગિયારસ છે. આ દિવસ તુલસી વિવાહના નામથી પણ ઓળખાય છે. 4 મહિનાથી બંધ પડેલી લગ્નની સીઝનઆજથી ફરી શરુ થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ દિવસથી તમામ માંગલિક કામો ફરી શરુ થઈ જશે. દેવઉઠી અગિયારસ ઉત્તર ભારતમાં ઘણી ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે ઘરોમાં શેરડીની પૂજા થાય છે. ઉપરાતં તુલસી-વિવાહ માટે મંડપ સજાવવામાં આવે છે.

આ દિવસે વહેલા સવારે ઉઠી સ્વચ્છ થઈ નિર્જળા વ્રત કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. સૂર્યોદય સમયે સૂર્યદેવને અર્ધ્ય આપવુ. સાંજના સમયે શાલિગ્રામ રૂપ ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને રાત્રિ જાગરણ કરવુ. બીજા દિવસે સવારે બ્રાહ્મણને ભોજન કરાવી દાન-દક્ષિણા આપી વ્રત ખોલવુ.

તુલસી-વિવાહ
આ દિવસે માતા તુલસીના વિવાહ ભગવાન વિષ્ણુના રૂપ શાલીગ્રામ સાથે થયા હતા. તુલસીને વિષ્ણુપ્રિયા પણ કહે છે. જેને લગતી પુરાણોમાં એક કથા પણ છે. એવુ કહેવાય છે કે,આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાના શયન બાદ ઉઠે છે. પરિણામે તેને 'દેવઉઠી અગિયારસ' ના નામથી ઓળખવામાં આવે છે.

માન્યતા છે કે, જ્યારે હરિ જાગે છે, તો તે પહેલીપ્રાર્થના તુલસીની જ સાંભળે છે. તુલસીના માધ્યમથી જ શ્રી હરિનુ આહવાન કરવામાં આવે છે. આપણા જીવનમાં હર્ષ-ઉલ્લાસ જળવાઈ રહે તે માટે તુલસી વિવાહનુ આયોજન કરવામાં આવે છે. એવુ મનાય છે કે, જે દંપતિઓને સંતાન પ્રાપ્તિ નથી થતી તેમણે એક વાર તુલસી વિવાહ કરાવી કન્યાદાન જરૂર કરવુ જોઈએ.

અગિયારસ સહિત નવેમ્બર અને ડિસેમ્બરના લગ્ન મુહૂર્ત
2016 ના છેલ્લા બે મહિના નવેમ્બરમાં અગિયારસ સહિત 8 દિવસ અને ડિસેમ્બરમાં 9 દિવસ લગ્ન મુહૂર્ત છે.
લગ્ન મુહૂર્ત
નવેમ્બર-11, 16, 21, 23, 24, 25, 26 અને 30
ડિસેમ્બર-1, 3, 4, 5, 8, 9, 10, 12 અને 13
જ્યોતિષ પ્રમાણે 2016માં થનારા લગ્ન ઘણા સફળ રહેશે અને પતિ-પત્ની ઘણા ખુશ રહેશે. ઉપરાંત આ વર્ષે ખરીદેલી કોઈપણ મિલકત જાતકને નફો કરાવશે, ત્યાંજ આ શુભ સમયે થયેલુ કોઈપણ કામ સુખ અને શાંતિ લાવશે.
-
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ








Click it and Unblock the Notifications
