આ છ રાશિના લોકો દેખાય છે રફ એન્ડ ટફ પણ હોય છે કોમળ કાળજાના
મોટા ભાગના લોકો વિચારે છે કે કોઈ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે કેવી રીતે નક્કી કરી શકાય. પોતાના ચરિત્રનું આવરણ હટાવીને લોકોના દિલની અંદર જોઈ શકાય. શું આ ખરેખર સાચુ છે?
મોટા ભાગના લોકો વિચારે છે કે કોઈ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે કેવી રીતે નક્કી કરી શકાય. પોતાના ચરિત્રનું આવરણ હટાવીને લોકોના દિલની અંદર જોઈ શકાય. શું આ ખરેખર સાચુ છે ?
વાંચો: આ ચાર રાશિઓથી તમે ચર્ચામાં નથી જીતી શકતા
આમ તો કેટલાક મનોવૈજ્ઞાનિકો આવું કરી શકે છે, પરંતુ તમામ લોકો પાસે આ આવડત નથી હોતી. કેટલાક લોકો એ આંખોની પાછળ છુપાય છે, જેને તેઓ વાંચવાનો પ્રયત્ન કરે છે. જો કે, વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવા માટે રાશિ પણ મદદગાર સાબિત થાય છે. અમે તમને કેટલીક એવી રાશિ વિશે જણાવીશું જે બહારથી કઠણ દેખાય છે પરંતુ અંદરથી કોમળ હોય છે.
મેષ
એક વાક્યમાં કહેવું હોય તો લાખોમાંથી એક. મેષ રાશિના જાતકો આમ તો બહાદુર વ્યક્તિ તરીકે જાણીતા હોય છે, જે કોઈના પર આધારિત નથી રહેતા. તેઓ બહારથી કઠણ દેખાય છે એટલે કોઈનો સાથ પણ નથી છોડતા. ક્યારેક ક્યારેક કઠણ અને સીધા દેખાતા રાશિના વ્યક્તિ પાસે દિલ પણ મોટું હોય છે.
આ રાશિના લોકો પોતાના મિત્રો અને પરિવારજનોની સાથે ઉભા રહે છે. જ્યારે તેમને દર્દ થાય છે તો તેઓ સૌથી પહેલા રડે છે, એટલે તેઓ સંવેદનશીલ હોય છે, તેમને કોમળ કહેવામાં કશું ખોટું નથી.
સિંહ
જેને આપણે કઠણ કાળજાના માનીએ છે, અને જેઓ ક્યારેક જ હસે છે, તેમની અંદરક માસૂમ અને આકર્ષિત કરનારું હ્રદય હોય છે. તેમને વધુમાં વધુ પ્રેમ કરવો પસંદ છે. તેમના પર ધ્યાન ન આપો, પ્રેમ ન કરો, તેમને દુઃખી કરો તો જાણી શકાશે કે તેઓ કેટલા સંવેદનશીલ અને ભાવુક છે. જ્યારે તમે તેમની પાસેથી પ્રતિક્રિયાની આશા રાખો છો ત્યારે તેઓ પ્રતિક્રિયા નહીં આપે તો તમે મહેસૂસ કરી શક્શો કે તે ઘમંડી છે.
તેઓ હંમેશા નવા વ્યક્તિઓની સાથે હસતા બોલતા નથી, પરંતુ મિત્રો સાથે બરાબર ખુલે છે. એટલે આ રાશિના લોકોનું સંવેદનશીલ રહસ્ય જાણવું અઘરું કામ છે.
કન્યા
કન્યા રાશિના લોકો મસ્તીખોર હોય છે. તેમનું હાસ્ય અને મજાક તમારો દિવસ સુધારી દે છે. સામાન્ય રીતે તેઓ વધુ વાત કરે છે અને તમારી તરફ ટીકાભરી નજરોથી જોવે છે, પરંતુ તેમનું દિલ મિત્રો પ્રત્યે આસાનીથી પીગળે છે.
જો કે તેઓ બહારથી જેવા દેખાય છે તે જ સત્ય નથી. તેઓ નાની નાની વાતોમાં દુઃખી થયા કરે છે, અને ઝડપથી માની પણ જાય છે. હંમેશા આ રશિ એ ભૂલોની યાદ અપાવે છે, જે તમે ભૂતકાળમાં કરી હતી.
વૃશ્વિક
આ રાશિના જાતકો વિશે ફક્ત વૃશ્વિક રાશિના લોકો જ સમજી શકે છે. વૃશ્વિક રાશિના જાતકો પાસે ભાવનાઓનો ભંડાર હોય છે. જેમના પર તે ભરોસો નથી કરતા તેમના પર તેઓ પોતાની લાગણી પ્રદર્શિત નથી કરતા. એટલે જ નવા લોકો સાથે તેઓ બે પ્રકારે વર્તે છે. પહેલા જે આસાનીથી કોઈના પર ભરોસો ન કરે, અને બીજા જે પોતાની ભાવના પ્રગટ કરવાનું પસંદ નથી કરતા.
ધનુ
આ રાશિના લોકોનું એક સ્વરૂપ કુટિલ અને બિનશંકાસ્પદ છે, બીજું સ્વરૂપ એ છે જે વધુ નથી બોલતા. જે પણ હોય અમે તેમને કોમળ કહીએ છીએ કારણ કે આ રાશિના લોકો ઝડપથી ગુસ્સે થઈ જાય છે, અને લોકોને દુઃખ પહોંચાડે છે. આ રાશિના લોકો કોઈ પણ વિશે વિચાર્યા વગર કંઈ પણ બોલી નાખે છે. જો તેઓ તમારી સાથે વાત કરવા નથી ઈચ્છતા તો તમને બાય બાય કરી દેશે. આ રાશિની સૌથી સારી વાત એ છે કે તે નાના નાના મજાકથી પણ લોકોનું દિલ જીતી લે છે.
મીન
આ રાશિના જાતકો વધુ વાત નથી કરતા અને એટલે જ તમે તેમની લાગણી વિશે વધુ જાણી નથી શક્તા. પરંતુ સત્ય એ છે કે તેઓ વાતને દિલ પર લઈ લે છે. શું તમે ક્યારેય સમુદ્ર સાથે વાત કરવાની કોશિશ કરી છે અને તેમની લાગણીઓ તપાસવાની કોશિશ કરી છે, તો તમે જાણી શક્શો કે આ રાશિના લોકોની લાગણી તમારી વાત સાંભળવા રાહ જોઈ રહી છે. આ રાશિના લોકો સૌથી પહેલા તમને નોટિસ કરે છે. જો તેમના પર કોઈ ધ્યાન ન આપે તો તેમને ખોટુ લાગી જાય છે. અને તેઓ સામે તમને ઈગ્નોર કરી શકે છે. સ્ટાન્ડર્ડના કારણે તેઓ તમારાથી દૂર રહેવાનું પસંદ કરશે.