Mahashivratri 2024: ભગવાન શિવ શા માટે માથે ચંદ્ર અને ગળામાં સાપ ધારણ કરે છે? જાણો મહત્વ
Mahashivratri 2024: મહાશિવરાત્રીનો પર્વ સમગ્ર ભારતમાં ધામધુમથી ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીના તહેવાર અંગે ઘણી ધાર્મિક માન્યતાઓ અને કથાઓ સાંભળવા મળે છે. જે અનુસાર મહાશિવરાત્રીના દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા.
મહાશિવરાત્રીનો શાબ્દિક અર્થ છે શિવની મહાન રાત્રિ. મહાશિવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભગવાન શિવના કેટલાક પ્રતીકો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અહેવાલમાં આપણે ભગવાન શિવના ચિહ્નો અને તેના કારણો જાણીશું.

ગળામાં સાપનો હાર - ભગવાન શિવ તેમના ગળામાં ફૂલોની માળા કે કોઈ ધાતુ નથી પહેરતા. તેમણે પોતાના ગળામાં વાસુકી નાગ પહેર્યો છે. એવું કહેવાય છે કે તે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું સૂચક છે. આ ઉપરાંત તે એ પણ દર્શાવે છે કે, તમામ તમોગુણી વસ્તુઓ તેમની નીચે છે.
ત્રીજી આંખ - એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવ તેમની ત્રીજી આંખ ખોલે છે, જ્યારે તેમનો ક્રોધ ચરમસીમા પર હોય છે. તેમની ત્રીજી આંખ જ્ઞાન અને ઊર્જાનું પ્રતીક છે, જ્યારે તે ખુલે છે, ત્યારે વિનાશ થાય છે. જોકે, ક્રોધ અને વાસના મહાદેવની નીચે છે.
માથા પર ચંદ્ર - ભગવાન શંકરના મસ્તક પર ચંદ્ર મુગટની જેમ શોભે છે, જેના કારણે તેમને સોમ અને ચંદ્રશેખર પણ કહેવામાં આવે છે. વળી, ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે, અને ભોલેનાથનું મન તેમના નિયંત્રણમાં છે.
જટામાંથી વહેતી ગંગા - ભગવાન શંકરની જટામાં માતા ગંગા બિરાજમાન છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવની જટાઓમાંથી જ દેવી ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી હતી. ઉલ્લેખનીય છે કે, માતા ગંગા પવિત્રતા અને કલ્યાણનું પ્રતિક છે, જેના માત્ર દર્શનથી જ બધા પાપોનો નાશ થાય છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
