Mahashivratri 2025 : જાણો મહાશિવરાત્રિનો પૂજા સમય, શુભ મુહૂર્ત અને વિધિ
Mahashivratri 2025 : આજે 26 ફેબ્રુઆરીએ ભારતમાં ધામધુમથી મહાશિવરાત્રિની ઉજવણી થઈ રહી છે. આ પવિત્ર દિવસે તમામ શિવભક્તો ભગવાન શિવની પૂજા-અર્ચના, જલાભિષેક અને વ્રત કરી રહ્યાં છે.
મહાશિવરાત્રિ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ મનાવવામાં આવે છે. આ સમયે ત્રયોદશી પૂર્ણ થાય અને ચતુર્દશી શરૂ થાય તે મહાશિવરાત્રિ માટે સૌથી શુભ સમય ગણાય છે.

આ વર્ષે 26 અને 27 ફેબ્રુઆરી, બંને દિવસમાં શિવપૂજન માટે અલગ-અલગ મુહૂર્ત છે, જેના કારણે ઘણા લોકોમાં પૂજન સમયે સંશય છે.
મહાશિવરાત્રિ 2025: શુભ મુહૂર્ત અને પારણા સમય
- ચતુર્દશી તિથિ આરંભ: 26 ફેબ્રુઆરી સવારે 11:08
- ચતુર્દશી તિથિ સમાપ્તિ: 27 ફેબ્રુઆરી સવારે 8:54
- નિશીથ કાળ પૂજા સમય: 27 ફેબ્રુઆરી રાત્રે 12:09 થી 12:59 સુધી
- શિવરાત્રિ પારણા (વ્રત ખોલવાનું) સમય: 27 ફેબ્રુઆરી સવારે 6:48 થી 8:54 સુધી
- પ્રથમ પ્રહર પૂજા સમય: 26 ફેબ્રુઆરી સાંજે 6:19 થી રાત્રે 9:26 સુધી
- બીજો પ્રહર પૂજા સમય: 26 ફેબ્રુઆરી રાત્રે 9:26 થી 27 ફેબ્રુઆરી રાત્રે 12:34 સુધી
- તૃતીય પ્રહર પૂજા સમય: 27 ફેબ્રુઆરી રાત્રે 12:34 થી સવારે 3:41 સુધી
- ચતુર્થ પ્રહર પૂજા સમય: 27 ફેબ્રુઆરી સવારે 3:41 થી 6:48 સુધી
મહાશિવરાત્રિના દિવસે સ્નાન કરી સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ભગવાન શિવની આરાધના માટે સૂર્યને અર્પણ કરો અને શિવલિંગ પર જલ, દૂધ, ગંગાજળ અને મધથી અભિષેક કરો. ત્યાર બાદ શિવલિંગ પર ફૂલો, બેલપત્ર અને બિલ્વપત્ર ચડાવો. ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન શિવ આરતી કરો.
શિવ પૂજન દરમિયાન 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્રના જાપથી વિશેષ લાભ થાય છે. શિવપૂજા અને શિવચાલીસાના પાઠ પછી શિવને ભોગ ધરાવવો અને પછી પ્રસાદ વિતરણ કરવું.
મહાશિવરાત્રિના દિવસે ભક્તો નિર્જલ ઉપવાસ રાખે છે અને માત્ર ફળાહાર કે સાત્વિક ભોજન લે છે. મહાશિવરાત્રિના વ્રતને પારણા કરવા અગત્યનું છે, જે માટે 27 ફેબ્રુઆરીની સવારે 6:48 થી 8:54 સુધી સારો સમય છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
