Mahashivratri 2025 : કેમ કરવામાં આવે છે ભગવાન શિવનો રુદ્રાભિષેક? જાણો રુદ્રાભિષેકના પ્રકાર
Mahashivratri 2025 : ભારતમાં ધામધૂમથી મહાશિવરાત્રાીની ઉજવણી થઈ રહી છે. દેવાધિદેવ મહાદેવનો રૂદ્રાભિષેક કરીને મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.
મહાશિવરાત્રિના દિવસે મહાદેવ શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસને વિવાહની યાદમાં મનાવવામાં આવે છે. આ દિવસે શિવ ભક્તો ભોળેનાથની આરાધના કરે છે અને રુદ્રાભિષેક કરે છે.

રુદ્રાભિષેકનો અર્થ છે ભગવાન શિવનો અભિષેક થાય છે. એટલે કે શિવલિંગ પર રુદ્રના મંત્રોથી અભિષેક કરવો. રુદ્ર ભગવાન શિવનું એક નામ છે. આ પવિત્ર અભિષેક અથવા સ્નાન રુદ્રરૂપ શિવને કરાવવામાં આવે છે.
રુદ્રાભિષેકના પ્રકાર
- જલાભિષેક (Jalabhishek): જલાભિષેકમાં શુદ્ધ જળથી ભોળેનાથનો અભિષેક કરવામાં આવે છે. ગંગા જળથી રુદ્રાભિષેક કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે.
- દુગ્ધાભિષેક (Dudhabhishek): દુગ્ધાભિષેકમાં ભોળેનાથનો દૂધથી અભિષેક કરવામાં આવે છે. દૂધથી અભિષેક કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
- ઘૃતાભિષેક (Ghritabhishek): ઘૃતાભિષેકમાં શિવજીનો ઘીથી અભિષેક કરવામાં આવે છે. ઘીથી રુદ્રાભિષેક કરવાથી કારોબારમાં તરક્કી થાય છે.
- શહદાભિષેક (Shahadabhishek): શહદાભિષેકમાં મધથી અભિષેક કરવામાં આવે છે. મધથી અભિષેક કરવાથી શિક્ષામાં સફળતા મળે છે.
- પંચામૃતાભિષેક (Panchamritabhishek): પંચામૃતાભિષેકમાં દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડના મિશ્રણથી અભિષેક કરવામાં આવે છે. પંચામૃતથી અભિષેક કરવાથી ગૃહ-કલેશ દૂર થાય છે.
રુદ્રાભિષેક કરવાથી ભોળેનાથની કૃપા બની રહે છે. રુદ્રાભિષેક હંમેશા ખાસ તિથિઓ પર જ કરવો જોઈએ. મહાશિવરાત્રિ, પ્રદોષ વ્રત, શ્રાવણ સોમવાર, હરિયાળી તીજ, હરિયાળી અમાવાસ્યા, નાગ પંચમીના દિવસે રુદ્રાભિષેક કરવામાં આવે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
રુદ્રાભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે જ જીવનના કષ્ટો દૂર થાય છે અને વિદ્યાર્થીઓના કારકિર્દીમાં તણાવ અને અવરોધોનો અંત આવે છે.












Click it and Unblock the Notifications
