Makar Sankranti 2020: મકર સંક્રાંતિ પર અહીં સ્નાન કરવાથી મળે છે જબરદસ્ત પુણ્ય
Makar Sankranti 2020: મકર સંક્રાંતિ પર અહીં સ્નાન કરવાથી મળે છે જબરદસ્ત પુણ્ય
સૂર્ય દેવ મકરમાં પ્રવેશતા આ વિશેષ સંક્રાંતિને દેશભરમાં મકર સંક્રાંતિના રૂપમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 15 જાન્યુઆરીએ મનાવવામાં આવશે. આ દિવસે સૂર્ય ધન રાશઇથી નિકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. જેને સૂર્ય સંક્રાંતિ એટલે કે મકર સંક્રાંતિ કહેવાય છે. આ પુણ્ય અવસર પર સ્નાન, દાન અને ધ્યાનનું વિશેષ મહત્વ હોય છે. મકર સંક્રાતિ પર સ્નાન માટે આમ તો દેશભરમાં કેટલાય પ્રમુખ તીર્થ સ્થળ પ્રખ્યાત છે, પરંતુ આ બધામાં સૌથી વધુ મહત્વ ગંગાસાગરનું માનવામાં આવે છે.

ગંગસાગરમાં કરો સ્નાન
બરફથી ઢંકાયેલ હિમાલયથી આરંભ થઈ ગંગા નદી ધરતી પર નીચે ઉતરે છે અને હરિદ્વારથી થઈ મેદાની સ્થળો પર પહોંચે છે. જે ક્રમશઃ આગળ વધતા ઉત્તર પ્રદેશના વારણસી, પ્રયાગથી પ્રવાહિત થતી બંગાળની ખાડીને મળે છે. અહીં પવિત્ર પાવની ગંગા નદી સાગરને મળી જાય ચે આ જગ્યાને ગંગાસાગર એટલે કે સાગર દ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. આ પશ્ચિમ બંગાળમાં આવેલ છે. મકર સંક્રાંતિના દિવસે લાખો હિન્દુ તીર્થયાત્રી અહીં ડુબકી લગાવવા માટે એકઠા થાય છે અને કપિલ મુનિ મંદિરમાં પૂજા-અર્ચના કરે છે.

ગંગાસાગરનું પૌરાણિક મહત્વ
પુરાણોમાં ગંગા સાગરની ઉત્પત્તિ પાછળ એક કથા વિશે જણાવવામાં આવ્યું છે. જે મુજબ કપિલ મુનિના શ્રાપના કારણે જ રાજા સગરના 60 હજાર પુત્રોનું આ સ્થળે તત્કાળ મૃત્યુ થયું હતું. તેમના મોક્ષ માટે રાજા સગરના વંશ કે રાજા ભગીરથ ગંગાને પૃથ્વી પર લાવ્યા અને ગંગા અહીં દરિયાને મળી હતી. માન્યતા મુજબ ગંગાસાગરની પવિત્ર તીર્થયાત્રા હજારો તીર્થ યાત્રાઓની સમાન છે.

પુણ્ય મળે છે
મકર સંક્રાંતિના અવસર પર અહીં સ્નાન કરવા દેશ વિદેશથી લોકો આવે છે. માન્યતા છે કે એકવાર ગંગાસાગરમાં ડુબકી લગાવવા પર 10 અશ્વમેઘ યજ્ઞ અને એક હજાર ગાય દાન કરવા બરાબર ફળ મળે છે. સ્નાન બાદ શ્રદ્ધાળુ અહીં આવેલ ભગવાન વિષ્ણુના અવતાર મનાતા કપિલમુનિના મંદિરમાં દર્શન કરે છે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
