Mercury Retrograde 2023: 21 એપ્રિલથી 25 દિવસ બુધ થશે વક્રી, જાણો રાશિઓ પર શું થશે અસર
Mercury Retrograde: બુદ્ધિ, વિવેક, નિર્ણય લેવાની ક્ષમતા અને વેપાર-વ્યવસાયનો પ્રતિનિધિ ગ્રહ બુધ 21 એપ્રિલ, 2023ના રોજ બપોરે 2 વાગીને 2 મિનિટથી વક્રી થઈ રહ્યો છે. 15 મેના રોજ સવારે 8.50 કલાક સુધી બુધ વક્રી રહેશે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ 25 દિવસો ખૂબ જ સાવચેતીભર્યા રહેશે.

બૌદ્ધિક ક્ષમતા થશે પ્રભાવિત
મેષ રાશિમાં ચાલી રહેલ બુધ વક્રી સ્થિતિમાં નિર્ણય લેવાની અને બૌદ્ધિક ક્ષમતાને અસર કરી શકે છે. વ્યવસાયમાં શિથિલતાને કારણે તમારા ઘણા નિર્ણયો ખોટા પણ સાબિત થઈ શકે છે. મેષ રાશિના લોકોએ આ સમયગાળામાં વિશેષ તકેદારી રાખવી પડશે.
વક્રી બુધની અલગ-અલગ રાશિઓ પર અસર
- મેષ: ધંધામાં અવરોધ, વિલંબ, નુકસાનનો ભય, રોકાણમાં સાવચેતી રાખવી.
- વૃષભ: ખર્ચ વધુ, પૈસા અટવાઈ જવાની શક્યતા, ખોટો નિર્ણય આવી શકે છે.
- મિથુન: આવકના સાધનોમાં અછત, પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય નુકસાનથી બચાવશે.
- કર્કઃ આવક પ્રાપ્ત થશે. વેપારમાં શિથિલતા છતા લાભની સ્થિતિમાં રહેશે.
- સિંહ: ભાગ્યનો વિજય થશે. પૈસાની આવક વધશે. નવા કામ ધંધાની સ્થાપના થશે.
- કન્યા: ધંધામાં નુકસાન, ખરાબ વાણીથી લોકો વિરોધી બનશે. રોકાણમાં સાવધાની રાખો.
- તુલા: વાણી ખરાબ રહેશે. બોલવામાં સાવધાની રાખો. પરિવારમાં વિવાદ થશે. ભંડોળનો અભાવ.
- વૃશ્ચિક: રોગ અને શત્રુઓ તમને પરેશાન કરશે, માનસિક રીતે વિચલિત રહેશે. પૈસાની તંગી રહેશે.
- ધન: સચોટ નિર્ણયો લઈ શકશો. પ્રેમ સંબંધોમાં આકર્ષણ વધશે. શિક્ષણમાં આવતા અવરોધો દૂર થશે.
- મકરઃ તમને સુખ અને સન્માન મળશે, ધનની આવકમાં વધારો થશે. પરિવારમાં મનભેદ થશે.
- કુંભ: ભાઈ-બહેન સાથે વિવાદ થઈ શકે છે. મિલકત અંગે વિવાદ, હસ્તાક્ષર કરતી વખતે સાવચેત રહો.
- મીન: પૈસા અને વાણીનો પ્રભાવ વધશે. લોકો આકર્ષિત થશે. પ્રેમ સંબંધો ગાઢ બનશે. લાભ મળશે.
શું ઉપાય કરવા
ઉપરોક્ત ભવિષ્યવાણીઓ અનુસાર જે રાશિઓ માટે બુધની વક્રી સ્થિતિ ખરાબ હોય તેમણે બુધવારે ઉપવાસ કરવો જોઈએ. ગણેશજીને દુર્વા અથવા શમી અર્પણ કરો અને લીલા રંગના ગણેશની પૂજા કરો. બુધવારના દિવસે પાણીમાં પલાળેલા લીલા મગને ગાયને ખવડાવો.












Click it and Unblock the Notifications
