ગળા પર તલ હોય તેવા લોકો હોય છે કંઈક ખાસ, જાણો શું કહે છે સામુદ્રિક શાસ્ત્ર
સામુદ્રિક શાસ્ત્ર મુજબ ગળા પર આવેલા તલના અલગ-અલગ અર્થ હોય છે. અહીં જાણો દરેક તલનો મતલબ.
Mole on Neck: શરીરના કોઈ અંગ પર અલગ-અલગ પ્રકારના તલ હોય છે અને તેના અર્થ પણ અલગ હોય છ. તેમાંય ખાસ કરીને ચહેરા પર તલ હોવા એ માત્ર સુંદરતાનુ જ પ્રતીક નથી પરંતુ આ તલ ભવિષ્ય વિશે પણ અમુક સંકેતો આપે છે. સામુદ્રિક શાસ્ત્રમાં શરીર પરના તલનુ ખૂબ મહત્વ જણાવવામાં આવ્યુ છે.

વિચારવાની અને સમજવાની શક્તિ વધુ હોય
જે લોકોની ગરદન પર તલ હોય તેમનો અવાજ કોયલ જેવો મધુર હોય છે. કેટલીકવાર લોકો તેમના મધુર અવાજને કારણે તેમના તરફ આકર્ષાય છે. જો આવા લોકો સંગીતના ક્ષેત્રમાં જાય છે તો તેઓ ખૂબ સફળ થાય છે. ગળાના ઉપરના ભાગમાં તલ હોય તેવા વ્યક્તિની વિચારવાની અને સમજવાની શક્તિ વધુ હોય છે. આવા લોકોને તેમના જીવનના તમામ નિર્ણયો માટે વધુ વિચારવાની જરૂર નથી હોતી. આ લોકો પ્લાનિંગ કરવામાં સારા હોય છે.

હિંમતવાળા અને કામુક હોય
જે લોકોની ગરદનની પાછળની બાજુ તલ હોય તેઓ કરોડરજ્જુ સંબંધિત અનેક પ્રકારની બીમારીઓ હોય છે. આવા લોકોને હંમેશા દુઃખાવો રહે છે અને તેના કારણે તેમને ઉઠવા-બેસવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. માનવામાં આવે છે કે જે લોકોની ગરદનની પાછળ તલ હોય છે તે લોકો હિંમતવાળા પણ હોય છે. તેમના જીવનમાં દેશ માટે કંઈક કરવાની ઈચ્છા હોય છે. જે લોકોની ગરદનના નીચેના ભાગમાં તલ હોય એવા લોકોને કામુક માનવામાં આવે છે. કહેવાય છે કે આ લોકોના ઘણા મિત્રો હોય છે. આવા લોકો લાગણીશીલ પણ હોય છે. તેમને નાની ઉંમરમાં જ લાઈફ પાર્ટનર મળી જાય છે અને તેમના ઘણા અફેર પણ હોય છે.

ગુસ્સાવાળા અને તાર્કિક
ગળાની જમણી બાજુએ તલ હોય એવા લોકો ખૂબ ગુસ્સાવાળા હોય છે. આવા લોકો ભીડમાં પણ પોતાને એકલા અનુભવે છે. આ લોકો ઈચ્છે છે કે લોકો તેમને મળે અને તેમનુ ધ્યાન રાખે. સામુદ્રિક શાસ્ત્રમાં એવુ માનવામાં આવે છે કે જે લોકોની ગરદનની ડાબી બાજુ તલ હોય તેવા લોકો ખૂબ જ તાર્કિક હોય છે. આ લોકો સફળતા મેળવવા માટે ખરાબ લોકોને પણ પોતાના મિત્ર બનાવી લે છે.

તલના આકારનુ પણ મહત્વ
તલના આકારનુ પણ ખૂબ મહત્વ છે. વ્યક્તિના જીવનમાં મોટા તલનુ વિશેષ મહત્વ હોય છે. લાંબા તલ સામાન્ય રીતે સારા પરિણામ આપે છે. જો માથા પર વધુ તલ હોય તો વ્યક્તિને ધન અને સુખની પ્રાપ્તિ થાય છે. જો કે જ્યોતિષ શાસ્ત્રની માનીએ તો કોઈ પણ વ્યક્તિના શરીર પર 12થી વધુ તલ સારા માનવામાં નથી આવતા. શરીર પર તલ માટે અલગ-અલગ ધારણાઓ પણ છે. એવુ પણ કહેવાય છે કે શરીરના જે ભાગમાં તલ હોય તે તેના પૂર્વ જન્મમાં થયેલી ઈજા હોય છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર




Click it and Unblock the Notifications
