પોતાને ફકીર કહેનાર મોરારી બાપુ દાન આપવામાં ટૉપ પર
મોરારી બાપુ આધ્યાત્મિક ગુરુ અને કથાવાચક છે. સોશિયલ મીડિયામાં તેમના સુવિચાર, પ્રવચનના વીડિયો હમેસા વાયરલ થતા હોય છે. મોરારી બાપુ દેશ વિદેશમાં રામકથાનું આયોજન કરે છે.

મોરારી બાપુ પોતાની કથાઓના માધ્યમથી આવક થાય છે. લોકો કથા દરમિયાન દિલ ખોલીને દાન કરતા હોય છે. બાપુને જે પૈસા કથામાથી મળતા હોય છે તે દાનમાં આપી દે છે. તેમને સાધારણ અને સરળ રીતે જીવન જીવવુ પસંદ છે. મોરારી બાપુ કહે છે કે, આધુનિક સુખ સુવિધાઓની આવશ્યક્તા નથી. તે એક ગામડાની કુટીરમાં રેહવાનું પસંદ કરે છે.
મોરારી બાપુએ ઉતરાખંડમાં આવેલ આપદા દરમિયાન એક કરોડ રૂપિયાનું દાન કર્યુ હતુ. તે જરુરત મંદ વિદ્યાર્થીઓને મફત શિક્ષમ પણ પ્રદાન કરે છે. 2019 માં પુલવામાં હુમલા બાદ મોરારી બાપુએ પ્રત્યેક શહીદ પરીવારને એક લાખ રુપિયાની સહાય કરી હતી. તે માનવતા માટે ઘણા કલ્યાણ કારી કાર્ય કરે છે. જેના માટે તેમની પ્રશંસા પણ હોય છે.
મોરારી બાપુનો જન્મ 25 સપ્ટેમ્બર 1946 ના રોજ થયો હતો. તેમનુ આખુ નામ મોરારીદાસ પ્રભૂદાસ હરિયાણી છે. તેમનો જન્ ગુજરાતના મહુઆ નજીક તલગાજરા ગામમાં થયો હતો. મોરારી બાપુના પિતાનુ નામ પ્રભૂ દાસ બાપુ હરિયાણી અને માતાનુ નામ સાવિત્રી બેન હતુ. મોરારી બાપુના છ ભાઇઓમાં મોરારી બાપુ સૌથી નાના હતા.
મોરારી બાપુના લગ્ન નિર્મલાબેન સાથે થયા હતા. તેમને એક પુત્ર અને ત્રણ દિકરી છે. વર્તમાનમાં મોરારી બાપુ શ્રી ચિત્રકુટધામ ટ્રસ્ટ, તલગાજરા મહુઆ ગુજરાતમાં રહે છે. સાથે જ કથાના આયોજનમાં તે દેશ વિદેશમાં ભ્રમણ પણ કરે છે. તેમણે પ્રાથમિક શિક્ષમ ગુજરાતનાી સરકારી સ્કુલમાથી મેળવી હતી. ત્યાર બાદ આગળનો અભ્યાસ તેમણે જુનાગઢથી પુરો કરીને ડિગ્રી મેળવી હતી.












Click it and Unblock the Notifications
