Maha Navami 2023: મહાનવમી પર આ રીતે કરો મા સિદ્ધિદાત્રિની પૂજા, જાણો કન્યા પૂજન માટે સૌથી ઉત્તમ મુહૂર્ત
Maha Navami 2023: શારદીય નવરાત્રિની નોમના દિવસે મા દુર્ગાની નવમી શક્તિ માતા સિદ્ધિદાત્રિની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રિ નવ દુર્ગાઓમાંની છેલ્લી દેવી છે. માતા સિદ્ધિદાત્રિ એ દેવી છે જે તમામ પ્રકારની સિદ્ધિઓ આપે છે.
નવરાત્રિના નવમા દિવસે તેમની પૂજા દરમિયાન કન્યાઓની પૂજા કરવાનો પણ રિવાજ છે. આ દિવસે 9 કન્યાઓને દેવી માનીને તેમની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિમાં ઉપવાસ કરનારા ભક્તો મહાનવમીના દિવસે કન્યા પૂજા પછી ઉપવાસ તોડે છે. માન્યતાઓ અનુસાર નવમી તિથિ પર કન્યાઓની પૂજા કરવાથી માતા સિદ્ધિદાત્રિ ઈચ્છિત ફળ આપે છે.
આ દિવસે, શાસ્ત્રીય વિધિ અને સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરવાથી, માતા સિદ્ધિદાત્રિ ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે. માતા સિદ્ધિદાત્રિ ચાર હાથવાળી દેવી છે. સિંહ તેમનું વાહન છે. તે કમળના ફૂલ પર બેસે છે. તેમના જમણા હાથમાં કમળનું ફૂલ છે.
મા સિદ્ધિદાત્રિનો મંત્ર
ह्रीं क्लीं ऐं सिद्धये नम: या देवी सर्वभूतेषु मां सिद्धिदात्री रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
કન્યા પૂજનનુ શુભ મુહૂર્ત
મહાનવમી તિથિ 22 ઓક્ટોબરે રાત્રે 8 વાગે શરૂ થશે. 23મી ઓક્ટોબરે ઉદયા તિથિમાં નવમી તિથિ છે, તેથી મહાનવમી 23મીએ છે. સોમવારે 23 ઓક્ટોબરે કન્યા પૂજા કરવામાં આવશે. નવમી તિથિ 23 ઓક્ટોબરે સાંજે 5.45 વાગ્યા સુધી રહેશે. આ દિવસે શ્રવણ નક્ષત્રનો પણ શુભ સંયોગ થઈ રહ્યો છે. ચંદ્ર મકર રાશિમાં અને ગુરુ મેષ રાશિમાં રહેશે.
કન્યા પૂજા માટેના શુભ સમયની વાત કરીએ તો 23 ઓક્ટોબરના રોજ સવારે 6.26 થી 7.51 સુધી અમૃત યોગમાં કન્યા પૂજા કરવી ખૂબ જ શુભ છે. આ પછી તમે સવારે 9.16થી 10.40 સુધી કન્યા પૂજા કરી શકો છો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
