Numerology 2023 : જાણો 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનું માટે કેવું રહેશે 2023
સાત નંબર પોતાનામાં ખૂબ જ રહસ્યમય છે. તેવી જ રીતે 7 નંબર પર જન્મેલા લોકો ભાગ્યશાળી હોય છે. આવા લોકો પર ધનના દેવતા કુબેરની વિશેષ કૃપા રહે છે, આ લોકો પોતાના જીવનમાં ધનના ક્ષેત્રમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરે છે.
Numerology 2023 : સમગ્ર દુનિયામાં 7 નંબરને અતિ રહસ્યમયી અને શુભ મનવામાં આવે છે. આમ જોવામાં આવે તો, અખિલ બ્રહ્માંડ 7 અંકથી ઘેરાયેલા છે. જે પ્રકારે ઇન્દ્રધનુષમાં પણ સાત રંગ, સપ્તાહમાં પણ સાત દિવસ, જ્યોતિષમાં સાત ગ્રહ, દુનિયામાં અજાયબીઓ પણ સાત છે. જેથી સાત નંબરને ખુબ જ શુભ માનવામાં આવે છે.
સાત નંબર પોતાનામાં ખૂબ જ રહસ્યમય છે. તેવી જ રીતે 7 નંબર પર જન્મેલા લોકો ભાગ્યશાળી હોય છે. આવા લોકો પર ધનના દેવતા કુબેરની વિશેષ કૃપા રહે છે, આ લોકો પોતાના જીવનમાં ધનના ક્ષેત્રમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરે છે.
કેવા હોય છે 7 નંબરના લોકો
અંકશાસ્ત્ર અનુસાર કેતુને 7 અંકનો સ્વામી માનવામાં આવે છે. આ સંખ્યા કેતુના તમામ ગુણોને પોતાનામાં સારી રીતે રાખે છે. સાત મૂળાંક ધરાવતા લોકો તેમના વર્તનથી કોઈપણનું હૃદય આકર્ષિત કરે છે.
જે વ્યક્તિનો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો હોય અને તેને ઉમેરવા પર સાત અંક આવે, તો તે વ્યક્તિ ખૂબ જ રહસ્યમય અને ચમત્કારિક પ્રતિભાથી સમૃદ્ધ હોય છે. આ સાથે આવા લોકો તેમના દિલમાં ખૂબ જ સ્પષ્ટ હોય છે, તેઓ તેમના મનની વાત લોકો સમક્ષ ખૂબ જ સ્પષ્ટ રીતે કરે છે. આ સાથે 7 મૂળાંકના લોકો આત્મવિશ્વાસ ધરાવતા હોય છે અને કોઈપણ સમસ્યાને સરળતાથી ઉકેલી શકે છે.
આવનારું વર્ષ 2023 લાભદાયી રહેશે
આવનારું નવું વર્ષ 2023 7 મૂળાંકના લોકો માટે ખૂબ જ રસપ્રદ અને જબરદસ્ત રહેવાનું છે. કારણ કે, 2023નો મૂળાંક પણ 7 છે. જે લોકોના કામ અને ઈચ્છાઓ લાંબા સમયથી અધૂરી રહી છે તે આ વર્ષે પૂર્ણ થઈ શકે છે. આ સાથે તેમના માટે ધનલાભ થવાની સંભાવના છે અને 2023 તેમના માટે સન્માન અને પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ શુભ રહેવાનું છે.