ખૂબ જ પ્રભાવશાળી અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે 7 મૂલાંકવાળા લોકો
આ લેખમાં અમે તમને મૂલાંક 7ના લોકો વિશે જણાવવા જઈ રહ્યા છે.
નવી દિલ્લીઃ આ લેખમાં અમે તમને મૂલાંક 7ના લોકો વિશે જણાવવા જઈ રહ્યા છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો હોય તો તમારો મૂલાંક 7 બને છે. મૂલાંકના આધારે પણ આપણે પોતાની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતીઓ મેળવી શકીએ છીએ. તો આવો, તમને મૂલાંક 7વાળાના સ્વભાગ, ખાસિયત, પસંદ અને નાપસંદ વિશે સંપૂર્ણ માહિતી વિસ્તારથી આપીએ છીએ.
7 મૂલાંકવાળાનો સ્વામી ગ્રહ
આમ તો આ મૂલાંકવાળાનો સ્વામી ગ્રહ 7 છે પરંતુ અમુક વિદ્વાનો નેપ્ચ્યુન(વરુણ) ગ્રહ અને ચંદ્રને પણ 7 મૂલાંકનો સ્વામી ગ્રહ માને છે.
ક્યારેય શાંત નથી બેસતા
આ મૂલાંકના જાતકો એક જગ્યાએ નથી ટકતા. એ હંમેશા કંઈકને કંઈક વિચારતા જ રહે છે. તેમને જીવનમાં બદલાવ પસંદ હોય છે. આ મૂલાંકના લોકો ખૂબ જ પ્રભાવશાળી અને હંમેશા આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. એ પોતાની વાત ખુલીને અને સાફ દિલથી કહેવાનુ પસંદ કરે છે. ઘણીવાર તેમની વધુ વિચારવાની આદત તેમના માટે મુસીબત બની જાય છે.
સ્વાર્થી માનવામાં આવે છે 7 મૂલાંકવાળા
7 મૂલાંકના જાતકોને સ્વાર્થી કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે એ પોતાના વિશે વધુ વિચારે છે. જો તેમનુ કોઈ કામ તેમના અનુસાર ના થાય તો એ બહુ જલ્દી નારાજ થઈ જાય છે અને તેમને અકળામણ અનુભવાય છે. ઘણીવાર એ નાની વાતમાં પણ રાઈનો પહાડ બનાવી દે છે. એ ખુદમાં જ ખોવાયેલા રહે છે એટલે કે ખુશ રહેવા માટે તેમને કોઈ પણ સંગી કે સાથીની જરુર નથી પડતી. આ જ કારણે તેમના વધુ દોસ્ત નથી બનતા.
પ્રેમમાં નથી થતા સફળ
આ મૂલાંકના જાતકો પ્રેમ મામલે વધુ લકી નથી હોતા. એ ખુલીને પોતાની ભાવનાઓ વ્યક્ત નથી કરી શકતા. જો એ રિલેશનમાં પણ હોય તો તેમની રોમેન્ટીક લાઈફમાં અસ્થિરતા રહે છે. એ કોઈ પણ વસ્તુથી બહુ જલ્દી કંટાળી જાય છે જેની ખરાબ અસર તેમના રિલેશન પર પડે છે.
દેખાડો નથી ગમતો
7 મૂલાંકવાળા જાતકોને દેખાડો કરવો બિલકુલ પસંદ નથી હોતો. તેમને વધુ હસી-મજાક નથી ગમતા. એ દરેક કામ પોતાની મર્યાદામાં રહીને કરવાનુ પસંદ કરે છે. સાથે જ જરુરથી વધુ બીજાની દખલઅંદાજી તેમને ગમતી નથી. તેમને લોકોથી ઘેરાયેલા રહેવાના બદલે એકાંતમાં રહેવાનુ સારુ લાગે છે.
પૈસા બાબતે રહે છે ભાગ્યશાળી
7 મૂલાંકવાળાનુ જીવન સુખ સુવિધાઓથી ભરપૂર રહે છે. એ પોતાની સૂઝબુઝ અને મહેનતથી સારા પૈસા કમાવવામાં સફળ રહે છે. તેમને પૈસાનો યોગ્ય કરવાનુ પણ સારી રીતે આવડે છે. બીજાને પ્રભાવિત કરવા માટે એ વધુ ખર્ચ કરવાનુ પસંદ નથી કરતા. સાથે જ પોતાના આર્થિક નિર્ણયો પણ ઘણી સમજદારીથી લે છે.
7 મૂલાંકવાળા માટે શુભ દિવસ, રંગ અને તારીખ
આ
મૂલાંકવાળા
માટે
રવિવાર,
સોમવાર
અને
ગુરુવારનો
દિવસ
ખૂબ
જ
સારો
માનવામાં
આવે
છે.
એવામાં
જો
કોઈ
પણ
શુભ
કાર્ય
આ
દિવસે
કરવામાં
આવે
તો
બધુ
મંગળ
થાય
છે.
7,16
તેમજ
25
તારીખો
તેમના
માટે
લકી
હોય
છે.
જો
તમે
કોઈ
પણ
નવુ
કામ
શરુ
કરવા
માટે
આ
તારીખો
પસંદ
કરશો
તો
તમને
મનપસંદ
ફળ
મળી
શકે
છે.
જો
રંગોની
વાત
કરીએ
તો
7
મૂલાંકવાળા
માટે
હળવો
પીળો
રંગ
ખૂબ
લકી
હોય
છે.