Pitru Paksha 2022: શું છે મહાદાન? ક્યારે અને કેમ કરવુ જોઈએ?

હિંદુ શાસ્ત્રોમાં દાનનુ ઘણુ મહત્વ જણાવવામાં આવ્યુ છે. જાણો શું છે મહાદાન? ક્યારે અને કેમ કરવુ જોઈએ?

નવી દિલ્લીઃ હિંદુ શાસ્ત્રોમાં દાનનુ ઘણુ મહત્વ જણાવવામાં આવ્યુ છે. દાન એટલે માત્ર ભૌતિક વસ્તુઓનુ દાન કરવુ જ નહિ પરંતુ અહંકાર, ક્રોધ, આસક્તિ, વાસનાનો ત્યાગ કરવો એ પણ દાન છે. વાસ્તવમાં, દાન કરવાથી વ્યક્તિ ભૌતિક સ્થાનના પાપોમાંથી મુક્ત થઈને પુણ્ય ફળની પ્રાપ્તિ કરે છે અને મૃત્યુ પછી દાન કાર્ય પ્રમાણે સુખ ભોગવે છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓ માટે મહાદાન અવશ્ય કરવુ જોઈએ.

religion

આપણા ધાર્મિક ગ્રંથોમાં મહાદાનનુ વિગતવાર વર્ણન કરવામાં આવ્યુ છે. સામાન્ય રીતે દસ વિશિષ્ટ પ્રકારના પદાર્થોનુ દાન મહાદાન કહેવાય છે. મહાન દાન કરવાથી, વ્યક્તિ જીવતા જીવ પૃથ્વી પર સુખ ભોગવો છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. મહાદાનમાં દસ વસ્તુઓનો સમાવેશ થાય છે જેનુ દાન કરવું સર્વશ્રેષ્ઠ કહેવાય છે. એમાં છે ગાય, જમીન, તલ, સોનુ, ઘી, કપડાં, અનાજ, ગોળ, ચાંદી અને મીઠુ. આ દાન પિતૃઓ માટે આપવામાં આવે છે.

અષ્ટ મહાદાન

મહાદાનની જેમ અષ્ટ મહાદાન પણ કહેવામાં આવ્યુ છે. પિતૃઓ માટે અષ્ટ મહાદાનમાં આઠ પ્રકારની વસ્તુઓનુ દાન કરવામાં આવે છે. જેમાં તલ, લોખંડ, સોનુ, કપાસ, મીઠુ, સપ્તધન્ય, જમીન અને ગાયનો સમાવેશ થાય છે.

સપ્ત ધાન્ય

જવ, ઘઉં, ડાંગર, તલ, ટાંગુન, સાંવા અને ચણાને સાત ધાન્ય કહેવામાં આવે છે. જવ, ડાંગર, તલ, મકાઈ, મગ, ચણા અને સાંવાને પણ સાત અનાજ કહેવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X