Pitru Paksha 2023 : પિતૃ પક્ષમાં કરો તુલસીના આ ઉપાય, પિંડદાન જેટલુ પૂણ્ય
Pitru Paksha 2023 : ભાદરવી પૂનમ એટલે કે, 29 સપ્ટેમ્બર, 2023થી પિતૃ પક્ષની શરૂઆત થઇ ગઇ છે. જેનું સમાપન 14 ઓક્ટોબરના રોજ થશે. સનાતન ધર્મમાં માન્યતા છે કે, આ સમય પિતૃને સમર્પિત હોય છે. આ દરમિયાન પિતૃને પ્રસન્ન કરવા માટે તેના આર્શીવાદ મળે છે.
આ સાથે હિન્દુ ધર્મમાં તુલસીનું પણ વિશેષ મહત્વ છે. આવામાં પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલા ઘણા ઉપાયો છે, જેના દ્વારા દરેક વ્યક્તિને ઘણા લાભ થઇ શકે છે.

આ ઉપાયો કરો - પિતૃ પક્ષ દરમિયાન તુલસીના છોડ પાસે એક વાટકો રાખો. આ પછી હથેળીમાં ગંગા જળ લો અને તેને ધીમે ધીમે વાટકીમાં નાખો. આ સમય દરમિયાન તમારા પૂર્વજોને યાદ કરો અને તેમના નામ 5 થી 7 વખત લો. છેલ્લે આ પાણીને આખા ઘરમાં છાંટો, અને બાકીનું પાણી તુલસીને ચડાવી દો.
મળશે આ લાભો - ગંગાજળ છાંટવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે, પરંતુ આ દરમિયાન એક વાત ધ્યાનમાં રાખો કે, તમારે આ ઉપાય રવિવાર અને એકાદશીના દિવસે ન કરવો જોઈએ, કારણ કે આ દિવસે તુલસીને પાણી આપવામાં આવતું નથી. પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવેલા આ ઉપાય ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ મંત્રનો જાપ કરો - પિતૃ પક્ષ દરમિયાન દરરોજ તુલસીની પૂજા કરો અને તેને જળ ચઢાવો. સાંજે તુલસી પર દીવો અવશ્ય પ્રગટાવો. પૂજા દરમિયાન આ મંત્રનો જાપ પણ કરો. તેનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે, અને વ્યક્તિને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
દેવી ત્વમ્ નિર્મિતા પૂર્વમર્ચિતસિ મુનીશ્વરૈઃ નમો નમસ્તે તુલસી પાપ હર હરિપ્રિયા ।
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
