8 નવેમ્બરના રોજ જાગશે દેવ, 19 નવેમ્બરથી લગ્નના શુભ મુહૂર્ત
8 નવેમ્બરના રોજ જાગશે દેવ, 19 નવેમ્બરથી લગ્નના શુભ મુહૂર્ત
ચાર મહિનાની યોગનિદ્રા પછી ભગવાન વિષ્ણુ 8 નવેમ્બરના રોજ દેવ પ્રબોધિની એકાદશીના દિવસે જાગશે. તેને દેવોત્થાન એકાદશી અને દેવ ઉઠી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવ પ્રબોધિની એકાદશીને વર્ષની સ્વયંસિદ્ધ મહૂર્તોમાંથી એક ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ચતુર્માસ સમાપ્ત થાય છે અને લગ્ન સહિતના અન્ય શુભ કાર્યો શરૂ થાય છે, પરંતુ આ વખતે દેવ ઉઠ્યા પછી લગ્નના મહૂર્ત 11 દિવસ પછી શરુ થશે. હા, આ એકાદશી સ્વયંસિદ્ધ મહૂર્તોમાંથી એક છે, તેથી જે લોકો પંચાંગ શુદ્ધિ જોયા વિના લગ્ન કરવા માગે છે, તેઓ આ દિવસે લગ્ન કરશે, પરંતુ તે પછી લગ્ન 11 દિવસ પછી શરૂ થશે.
દેવ પ્રબોધિની એકાદશી
વૈદિક પંચાંગ મુજબ પૂર્વાફાલ્ગુની નક્ષત્રના સંયોગમાં આ વખતે દેવ પ્રબોધિની એકાદશી શુક્રવારે આવી રહી છે. આ દિવસે રવિ યોગ પણ થશે. આ એકાદશી પર તુલસી-શાલિગ્રામ વિવાહ થશે. અબુજ મુહૂર્તમાં સામૂહિક લગ્ન વગેરેનું આયોજન પણ થશે, પરંતુ રેખા અનુસાર, 19 મી નવેમ્બરથી વિશિષ્ટ મુહૂર્ત શરૂ થશે.
ચાલો તમને જણાવી દઈએ કે લગ્નના ક્યારે ક્યારે છે શુભ મુહૂર્ત
લગ્નના શુભ મુહૂર્ત
- નવેમ્બર - 19, 20, 21, 22, 23, 28, 30
- ડિસેમ્બર - 7, 11, 12
- જાન્યુઆરી- 15, 16, 17, 18, 20, 29, 30, 31
- ફેબ્રુઆરી - 4, 9, 10, 16, 25, 26, 27
- માર્ચ-2, 1
ઉપનયન અથવા જનોઈ વિધિના મુહૂર્ત
- જાન્યુઆરી - 27, 29, 30, 31
- ફેબ્રુઆરી - 6,13, 26, 28
- માર્ચ - 5, 6, 11
મૂર્તિ પ્રતિષ્ઠાના મુહૂર્ત
- જાન્યુઆરી - 17, 20, 27, 29, 30, 31
- ફેબ્રુઆરી - 1, 14, 16, 21, 26, 28
- માર્ચ - 6, 11
ગૃહ પ્રવેશ, વાસ્તુનું મુહૂર્ત
- જાન્યુઆરી-17, 27, 30, 31
- ફેબ્રુઆરી - 26
- માર્ચ - 6
SBIમાં ખાતું હોય તો 30 નવેમ્બર સધી કરી લો આ કામ, નહીં તો બેંકમાં જ ફસાઈ જશે પૈસા