Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Raksha Bandhan 2024 : જાણો રાખડી બાંધવા માટેનું શુભ મુહૂર્ત, કેટલા વાગ્યા પછી રાખડી બાંધવી?

Raksha Bandhan 2024 : ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની 19 ઓગસ્ટે ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. આ દિવસે સારા મુહૂર્તમાં બહેન ભાઈને રાખડી બાંધે છે.

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પુર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જાણકારોના મતે આ તહેવાર ભદ્રાના પ્રભાવમાં રહેશે. માનવામાં આવે છે કે ભદ્રા દરમિયાન રાખડી બાંધવી અશુભ છે.

Raksha Bandhan 2024

આ દિવસે પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3:04 વાગ્યે શરૂ થશે અને તે જ દિવસે રાત્રે 11:55 વાગ્યે સમાપ્ત થશે. જો કે ભદ્રા સમયને ધ્યાનમાં રાખવો ખૂબ જ જરૂરી છે.

ભદ્રા 19 ઓગસ્ટના રોજ સવારે 2:21 વાગ્યે શરૂ થશે અને બપોરે 1:30 વાગ્યે સમાપ્ત થશે. ખાસ કરીને ભદ્રા પૂંછડી સવારે 9:51 થી 10:53 સુધી હશે,ત્યારબાદ ભદ્રાનું માથું સવારે 10:53 થી 12:37 સુધી હશે. જ્યોતિષીઓ આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવાની સલાહ આપે છે.

આ માટે 19 ઓગસ્ટે બપોરે 1.30 વાગ્યા પછી રાખડી બાંધવી જોઈએ. રાખડી બાંધવાનો સૌથી શુભ સમય બપોરે 1:43 થી 4:20 સુધીનો છે, જે 2 કલાક 37 મિનિટનો છે. આ સિવાય સાંજે 6:56 થી 9:07 સુધીનો પ્રદોષ કાલ પણ શુભ માનવામાં આવે છે.

રાખડી બાંધવાનો શુભ સમય
19મી ઓગસ્ટ બપોરે 1:43 થી 4:20 સુધી
સાંજે 6:56 થી 9:07 (પ્રદોષ કાલ)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X