Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rath Yatra 2022: કેમ છે પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામની મૂર્તિઓ અધૂરી? શું છે આનુ રહસ્ય

1 જુલાઈથી ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જાણો પ્રભુ જગન્નાથ, સુભદ્રા અને બલરામની મૂર્તિઓ કેમ છે અધૂરી?

નવી દિલ્લીઃ 1 જુલાઈથી ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વિશ્વના ખૂણે ખૂણેથી લોકો આ વિશ્વપ્રસિદ્ધ યાત્રામાં જોડાવા આવે છે. તમે જાણો છો કે આ યાત્રા પોતાનામાં એકદમ અલગ છે કારણ કે આ ભારતની પ્રથમ પૂજા છે જેમાં કૃષ્ણની પૂજા તેમની પ્રેમિકા રાધા કે પત્ની રુક્મિણી સાથે નહિ પરંતુ તેમની બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ સાથે કરવામાં આવે છે. જ્યારે ભાઈ-બહેનની એકસાથે પૂજા ક્યાંય કરવામાં આવતી નથી.

અધૂરી મૂર્તિની પૂજા

અધૂરી મૂર્તિની પૂજા

આ સિવાય આ યાત્રા સાથે બીજી એક ખાસ વાત જોડાયેલી છે અને તે એ છે કે આ યાત્રામાં અધૂરી મૂર્તિની પૂજા કરવામાં આવે છે. જ્યારે સામાન્ય રીતે અધૂરી મૂર્તિની પૂજા કરવામાં આવતી નથી. પરંતુ અહીં સદીઓથી અધૂરી મૂર્તિની પૂજા કરવામાં આવે છે. જેની પાછળ એક ખાસ કારણ છે. વાસ્તવમાં પુરીના મંદિરમાં રાખવામાં આવેલી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને દાઉ બલરામની મૂર્તિઓ પૂર્ણ નથી. માત્ર તેમના મોઢા બનેલા છે અને તેમના હાથ-પગ નથી. તેની પાછળ એક વાર્તા છે.

મૂર્તિ બનાવવાનુ કામ દેવ શિલ્પી વિશ્વકર્માને મળ્યુ

મૂર્તિ બનાવવાનુ કામ દેવ શિલ્પી વિશ્વકર્માને મળ્યુ

દંતકથા અનુસાર એક વખત પુરીના રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને દાઉ બલરામની મૂર્તિઓ બનાવવાનુ કામ દેવ શિલ્પી વિશ્વકર્માને સોંપ્યુ હતુ પરંતુ શિલ્પીએ રાજાની સામે એક શરત મૂકી કે જ્યાં સુધી મૂર્તિનુ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ એક રૂમની અંદર રહેશે અને કોઈને અંદર આવવા દેવામાં આવશે નહિ.

શિલ્પકાર ઓઝલ થઈ ગયા...

શિલ્પકાર ઓઝલ થઈ ગયા...

આના પર રાજા શિલ્પી સાથે સંમત થયા. તે દરરોજ શિલ્પીના ઘરની બહાર આવતા જ્યાં તેમને મૂર્તિ બનાવવાનો અવાજ સંભળાતો. એક દિવસ તેઓ શિલ્પીના ઘરની સામેથી પસાર થઈ રહ્યા હતા પરંતુ તેમને કોઈ અવાજ સંભળાયો નહિ. તેઓ થોડા ચિંતિત થયા અને તેમણે શિલ્પીના ઘરનો દરવાજો ખોલ્યો. રાજા શિલ્પીના ઘરમાં પ્રવેશ્યા કે તરત જ કારીગર વિશ્વકર્મા ગાયબ થઈ ગયા અને ફરી ક્યારેય દેખાયા નહીં. હવે રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને દાઉ બલરામની ત્રણ અધૂરી મૂર્તિઓ પુરીના મંદિરમાં રાખવાની ફરજ પડી હતી અને ત્યારથી પુરીમાં અધૂરી મૂર્તિઓની પૂજા કરવામાં આવી રહી છે.

શ્રદ્ધા બધા કરતા મોટી હોય છે

શ્રદ્ધા બધા કરતા મોટી હોય છે

પરંતુ કહેવાય છે કે શ્રદ્ધા દરેક વસ્તુ કરતા મોટી હોય છે અને પ્રેમમાં સૌથી વધુ શક્તિ હોય છે, તેથી અહીં આવનારા ભક્તો માત્ર ભગવાનના પ્રેમમાં જ વિશ્વાસ રાખે છે અને આ અધૂરી મૂર્તિઓને સંપૂર્ણ શ્રદ્ધા સાથે નમન કરે છે અને તેમની દરેક સમસ્યાનું સમાધાન માંગે છે. જેનો ઉપાય ભગવાન જગન્નાથ તેમને દરેક પરિસ્થિતિમાં આપે છે. ભગવાનની આ મૂર્તિઓમાં ભક્તોની અતૂટ શ્રદ્ધા હોય છે, જ્યાં ફક્ત માથું જ આદરથી નમતું હોય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X