Ravivar Na Upay: વધશે માન-સન્માન અને ધન કરી લો રવિવારના ઉપાય
Ravivar Na Upay: સનાતન ધર્મમાં રવિવાર ખાસ મહત્વ ધરાવે છે. રવિવારનો દિવસ ગ્રહોના રાજા સૂર્ય ભગવાનને સમર્પિત છે. જો આ દિવસે સૂર્યદેવની પૂજા કરવામાં આવે, તો અનેક લાભો પ્રાપ્ત થાય છે.
સૂર્ય ભગવાનની કૃપાથી વ્યક્તિને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સન્માન મળે છે. જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ યોગ્ય ન હોય, તો વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે, તેને સફળતા મળતી નથી અને માન-સન્માન પણ નથી મળતું.
સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા અને કુંડળીમાં તેમની સ્થિતિને મજબૂત કરવા માટે રવિવારનો દિવસ શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અહેવાલમાં આપણે રવિવારના ઉપાય જાણીશું.
શાસ્ત્રોમાં રવિવારે કરવાના કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેની મદદથી તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
આ ઉપાય કરવાથી સૂર્ય ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ કે રવિવારે કયા ચમત્કારી ઉપાયો કરી શકાય છે.

રવિવારના ઉપાયો
- રવિવારે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરવું. ત્યાર બાદ સૌ પ્રથમ સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવો
- અર્પણ કરતી વખતે તમારે સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ, આ વાતનું ખાસ ધ્યાન રાખો
- આ સાથે જ સૂર્યદેવને તાંબાના વાસણમાંથી જ જળ ચઢાવો. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે
- તમે સૂર્ય ભગવાનને ફૂલ, રોલી, અક્ષત અને સાકર વગેરે પણ અર્પણ કરી શકો છો
- રવિવારે વડના ઝાડનું તૂટેલું પાન લાવો અને તે પાન પર તમારી ઈચ્છા લખો
- જે બાદ આ પાનને વહેતા પાણીમાં તરતા રાખો
- એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે
- રવિવારે ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ ઓમ આદિત્ય નમઃ મંત્રનો જાપ કરો
- આ મંત્ર જાપથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
