આ 5 રાશિઓ ટોન્ટ મારવામાં સૌથી આગળ છે, કરી દે છે બોલતી બંધ
કેટલાક લોકોને લાગે છે કે વ્યંગ કરવામાં તેમની જેટલું કોઈ હોશિયાર નથી, પરંતુ કેટલાક રાશિના લોકો એવા હોય છે કે તેઓ દરેકને તેમના વ્યંગ અને હાજર જવાબથી ચૂપ કરાવી દે છે.
કેટલાક લોકોને લાગે છે કે વ્યંગ કરવામાં તેમની જેટલું કોઈ હોશિયાર નથી, પરંતુ કેટલાક રાશિના લોકો એવા હોય છે કે તેઓ દરેકને તેમના વ્યંગ અને હાજર જવાબથી ચૂપ કરાવી દે છે.
વ્યંગ કરવું એ પણ એક કલા છે અને પાંચ રાશિઓ એવી છે જે તેમના હાસ- પરિહાસ દ્વારા બધાની બોલતી બંધ કરી શકે છે. આ કલા દ્વારા તમે પરિસ્થિતિ અનુસાર ટિપ્પણી કરી શકો છો, જે હાસ્ય મજાકમાં બરાબર છે પરંતુ તે મોટાભાગના સમયે વાજબી હોય છે.
આ પણ વાંચો: 2019માં આ 7 રાશિના લોકોની લવ લાઈફ શરૂ થશે, કોઈ ખાસ કરશે પ્રેમની વાત
તમારી ટિપ્પણીઓ અને ટોન્ટને સમજવા માટે, સામેવાળાનું મગજ ખુલ્લું હોવું જોઈએ નહિ તો તે તેના દિલ પર લઈ શકે છે. પરંતુ તેના વિશે ચિંતા કરશો નહીં, જુઓ કે તમારું નામ વ્યંગ કરનારી આ 5 રાશિઓમાં છે.
મિથુન
વ્યંગ કરવામાં મિથુન રાશિના લોકોનો કોઈ મુકાબલો નથી. જ્યારે પણ વ્યંગ અથવા ટૉન્ટની વાત આવે છે ત્યારે તે બોલને સીધો મેદાનની બહાર પહોંચાડીને જ માને છે. તેઓ આ બાબતમાં ખૂબ જ ટેલેન્ટેડ હોય છે. તેઓ તેમના હાજર જવાબી અને બોલવાની કલા દ્વારા લોકોને ઝડપથી પ્રભાવિત કરી લે છે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકો વ્યંગની બાબતમાં જીનિયસ હોય છે. તેમનું મજાક કરવાનું સ્તર તેમનામાં જ બહેતરીન હોય છે અને તેઓ બીજાને ચીડવવા માટેની કોઈ તક જવા દેતા નથી. વૃશ્ચિક રાશિના લોકો પહેલીવારમાં તેમનું આ રૂપ બતાવતા નથી, પરંતુ જો તમે તેના વર્તનથી તેઓને કોઈ તક આપી દીધી તો પછી તમે તેમના મહેણાંથી બચી શકશો નહીં.
કુંભ
આ રાશિના લોકો ટીકા ટિપ્પણી કરવામાં ઓછા નથી. દરેક જાણે છે કે કુંભ રાશિના લોકો તેમની વાતોથી જ લોકોને હસાવી હસાવીને ગાંડા કરે છે. તે જ સમયે વાતો વાતોમાં ટોન્ટ મારવાનો ગુણ પણ તેમનામાં ભરપૂર છે અને એવું તેમના સિતારાઓની સ્થિતિના કારણે છે.
મકર
તમને આમનાં જેવા વ્યંગ કરનારા વ્યક્તિ નઈ મળ્યા હોય. આ રાશિના લોકો જયારે કોઈ મૂંઝવણમાં હોય અથવા જ્યારે તેઓ કોઈ પર ગુસ્સે થાય છે અથવા તેઓ કોઈ પણ વાત સાથે અસંમત હોય ત્યારે ટોન્ટ અથવા ટિપ્પણી કરવા માટે મૂડમાં આવે છે. વાતચીતને થોડી વધારે મજેદાર બનાવવા માટે, તે તેમાં વધારી ચઢાવી મસાલા ઉમેરે છે.
ધનુ
આ સૂચિમાં પાંચમો અને છેલ્લો નંબર ધનુરાશિ રાશિના લોકોનો છે. આ ખૂબ રમુજી લોકો હોય છે. તેઓ જાણે છે કે વાતચીત દરમિયાન ક્યારે પાછું એન્ટર થવું અને વાતાવરણને હળવું બનાવવાનો યોગ્ય સમય શું છે. તેઓ વધુ ટેન્શન લેતા નથી. કદાચ આ જ કારણ છે કે તેઓ હંમેશા સારા જવાબો સાથે તૈયાર રહે છે.