For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

12 જુલાઈથી શનિ મકર રાશિમાં, આ ત્રણ રાશિઓ થઈ જાવ સાવધાન!

શનિએ આજે ​​12મી જુલાઈએ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. જાણો કઈ ત્રણ રાશિએ સાવધાન થવાનુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શનિએ આજે ​​12મી જુલાઈએ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. 29મી એપ્રિલ 2022ના રોજ શનિએ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે ફરી એકવાર તે તેની પ્રિય રાશિ મકર રાશિમાં આવી ગયો છે. શનિની રાશિ બદલાતાની સાથે જ 3 રાશિઓ પર ફરી સાડાસાતી અને ઢૈયા શરૂ થઈ ગયા છે. એપ્રિલમાં શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ આ લોકોને સાડાસાતી-ઢૈયામાંથી મુક્તિ મળી હતી પરંતુ હવે તેઓ ફરી એકવાર શનિની પકડમાં આવી ગયા છે. આ રાશિઓ પર 17 જાન્યુઆરી 2023 સુધી શનિની મહાદશા રહેશે.

મિથુન

મિથુન

શનિ મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ મિથુન રાશિના લોકો પર શનિની ઢૈયા ફરીથી શરૂ થઈ ગઈ છે. તેમણે જાન્યુઆરી 2023 સુધી વાદ-વિવાદ અને તણાવથી દૂર રહેવુ જોઈએ. આ દરમિયાન તેમના ખર્ચમાં પણ વધારો થશે. આ સમય દરમિયાન અકસ્માતો ટાળો. ગાડી ધ્યાનથી ચલાવો.

તુલા

તુલા

તુલા રાશિના જાતકો માટે પણ શનિનુ ગોચર સારુ નથી. શનિના મકર રાશિમાં પ્રવેશ સાથે જ તુલા રાશિના લોકો પર શનિની ઢૈયા શરૂ થઈ ગઈ છે. આ લોકોને માનસિક તણાવ થઈ શકે છે. આ સિવાય શારીરિક પીડાનો પણ સામનો કરવો પડી શકે છે. તેથી તણાવ ટાળવા માટે હકારાત્મક રહેવાનો પ્રયાસ કરો.

ધન

ધન

શનિનુ રાશિ પરિવર્તન ધન રાશિના લોકો માટે સારુ નથી. આ રાશિ પર શનિની સાડાસાતી ફરી શરૂ થઈ છે. તેથી 6 મહિના સુધી આ લોકોને ફરીથી શનિના પ્રકોપનો સામનો કરવો પડશે. ધનહાનિ થઈ શકે છે, પ્રતિષ્ઠામાં ઘટાડો થશે. વિવાદમાં ફસાઈ શકો છો.

English summary
Shani Gochar in Capricorn on 12th July, 3 zodiac signs will have sadasati, be carefull.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X