Shani Gochar 2023: 17 જાન્યુઆરીએ 30 વર્ષ પછી શનિનો કુંભ રાશિમાં પ્રવેશ, આ રાશિઓનુ ચમકશે નસીબ
શનિના કુંભ રાશિમાં આવવાતી અમુક રાશિઓના દિવસ પલટી શકે છે. આવો જાણીએ એવી કઈ-કઈ રાશિઓ છે જેના નસીબ 17 જાન્યુઆરી પછી ચમકવાના છે.
Shani Gochar 2023: વર્ષ 2023માં 17 જાન્યુઆરીના રોજ શનિદેવ મકર રાશિમાંથી નીકળીને 30 વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિની આ સ્થિતિ અમુક રાશિવાળા માટે લાભકારી સાબિત થઈ શકે છે. કહેવાય છે શનિ દેવ ન્યાયના દેવતા છે. શનિ દેવ સારા કર્મ કરનારને શુભ ફળ આપે છે અને ખરાબ કાર્યો કરનાર લોકોને દંડ પણ આપે છે. શનિના કુંભ રાશિમાં આવવાતી અમુક રાશિઓના દિવસ પલટી શકે છે.
વૃષભ રાશિ
17 જાન્યુઆરીએ શનિના કુંભ રાશિમાં આવ્યા બાદ વૃષભ રાશિવાળાના સારા દિવસો શરુ થશે. ભાગ્ય ભાવ પ્રભાવિત થશે. શનિના પ્રભાવથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. વેપારમાં લાભ થશે. વિદેશ યાત્રાના યોગ બનશે. આર્થિક બાબતોમાં પ્રગતિની સંભાવના છે. જૂની મુશ્કેલીઓમાંથી છૂટકારો મળશે.
મિથુન રાશિ
મિથુન રાશિના ભાગ્ય ભાવમાં શનિ ગોચર કરશે. શનિના કુંભ રાશિમાં જતા જ તેઓ શનિની ઢૈયામાંથી મુક્ત થશે. શનિની દ્રષ્ટિ તમારા લાભ, ત્રીજા તેમજ છઠ્ઠા ભાવમાં થવાથી તમારો ભાગ્યોદય થશે. નોકરી તેમજ વેપારમાં લાભ મળશે. પરિવારમાં ખુશીઓ આવશે. સમાજમાં માન-સમ્માન વધશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોને રાશિ પરિવર્તનથી ઘણો લાભ થશે. શનિનુ ગોચર તમારી રાશિના પંચમ ભાવમાં થઈ રહ્યુ છે. શનિના કુંભ રાશિમાં જવાથી તુલા રાશિના જાતકોને શનિની ઢૈયામાંથી મુક્તિ મળશે. આ સમયમાં તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આવકમાં વૃદ્ધિના સંકેત છે. ભાગીદારીમાં કરવામાં આવેલુ કામ લાભકારી સાબિત થશે.
ધન રાશિ
ધન રાશિના ત્રીજા ભાવમાં શનિનુ ગોચર થશે. આ રાશિના જાતકો માટે શનિદેવનુ કુંભ રાશિમાં જવુ શુભ રહેશે. શનિની દ્રષ્ટિ તમારી રાશિના પંચમ, ભાગ્ય અને 12માં ભાવમાં રહેશે. શનિ ગોચરથી તમને શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે. આર્થિક મોરચે લાભ થશે. નોકરીમાં પ્રમોશનના અણસાર છે.