Shani Jayanti 2023: ક્રૂર શનિની છે 3 પ્રિય રાશિઓ, હંમેશા આ જાતકો પર રહે છે મહેરબાન
Shani Jayanti 2023: શનિદેવની છબી ક્રૂર, ક્રોધિત અને શક્તિશાળી ગ્રહની છે. પરંતુ તેઓ હંમેશા એવા લોકોને સમર્થન આપે છે જેઓ તેમના કાર્યોનું ધ્યાન રાખે છે અને સત્યના માર્ગ પર ચાલે છે.
તમે જાણો છો કે શનિદેવને ન્યાયાધીશ અને કર્મ દેવતા તરીકે ઓળખવામાં આવે છે. તે બધા વ્યક્તિએ કરેલા કામ અને તેની પાછળના હેતુનુ મૂલ્યાંકન કરીને ન્યાય કરે છે.
Shani Jayanti 2023: શનિની પ્રિય-અપ્રિય વસ્તુઓનુ રાખો ધ્યાન, થશે ફાયદો
શનિ પ્રભાવશાળી ગ્રહ છે. એવું માનવામાં આવે છે કે તેમનો જન્મ જેઠ મહિનાની અમાસના દિવસે થયો હતો. ભગવાન શનિની જન્મજયંતિ શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તેની સંપૂર્ણ વિધિથી પૂજા કરવામાં આવે છે જેથી તેમની કૃપા મળતી રહે. જો કે, એવી કેટલીક રાશિઓ છે જેઓ શનિદેવની પ્રિય રાશિ હોવાનું ભાગ્ય ધરાવે છે. ચાલો જાણીએ એ ત્રણ રાશિઓ કઈ છે.
તુલા રાશિ
શનિદેવની પ્રિય રાશિની યાદીમાં તુલા રાશિના લોકોનું નામ સૌથી પહેલા આવે છે. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના લોકો ઈમાનદારી અને મહેનતુ સ્વભાવ માટે જાણીતા છે. શનિદેવ આ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન રહે છે અને તેઓ તેમના પર પોતાની વિશેષ કૃપા રાખે છે.
Shani Jayanti 2023: પોતાની રાશિ મુજબ દાન કરી શનિદેવને કરો પ્રસન્ન
મકર રાશિ
મકર રાશિનો સ્વામી શનિ છે. સૂર્ય અને છાયાના પુત્ર શનિ આ લોકો પર પણ આશીર્વાદ વરસાવતા રહે છે. મકર રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આ રાશિના લોકોને જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ મળે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના સ્વામી શનિદેવ સ્વયં છે. આ પણ એક કારણ છે કે આ રાશિના લોકોને શનિ મહારાજની કૃપા મળે છે. જ્યોતિષના મતે આ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ સરળ હોય છે. આ લોકો હંમેશા જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવે છે. તેમના મનમાં ગરીબ અને લાચાર લોકો માટે કંઈક કરવાની ઈચ્છા છે. આ કારણે આ રાશિ શનિને પ્રિય છે.
નોંધનીય છે કે આ ચોક્કસપણે શનિની પ્રિય રાશિ માનવામાં આવે છે પરંતુ જ્યારે સમય આવે ત્યારે તેમને શનિની સાડાસાતી અને શનિની પનોતીની અસર સહન કરવી પડે છે.
Birthday: એક સમયે હતો વૉચમેન, આજે છે કરોડોનો માલિક, જાણો નવાઝુદ્દીન સિદ્દીકીની કુલ સંપત્તિ