Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sharad Purnima 2023: આજે ચંદ્રગ્રહણના લીધે નહિ બને ચોખાની ખીર

Sharad Purnima 2023: આજે અશ્વિન પૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે. શરદ પૂર્ણિમાના દિવસે થઈ રહેલા આ ગ્રહણને કારણે લોકોમાં મૂંઝવણ અને શંકા છે કે ક્યારે ખીર બનાવવી, ક્યારે ચંદ્ર કિરણોમાં રાખવી, ક્યારે ખાવી. આવો જાણીએ દરેક પ્રશ્નનો જવાબ.

શરદ પૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ રાતે 1.05 કલાકે શરૂ થશે. ગ્રહણના નવ કલાક પહેલા સૂતક શરૂ થાય છે, તેથી આ ચંદ્રગ્રહણનુ સૂતક 28 ઓક્ટોબરે સાંજે 4:05 કલાકે શરૂ થશે. હવે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના કિરણોમાં ખીર તૈયાર કરીને પછી તે ખીરનું સેવન કરવાની પરંપરા છે.

Sharad Purnima

આ વખતે ગ્રહણનુ સૂતક મધ્યરાત્રિએ હોવાથી અને તે પછી ગ્રહણ શરૂ થશે, તેથી સાંજે 4.05 વાગ્યા પહેલા ખીર તૈયાર કરો અને તેમાં તુલસીના પાન અથવા કુશ મૂકો. આ પછી, ચંદ્રગ્રહણ શરૂ થવાના બે કલાક પહેલા સુધી ખીરને ચંદ્રના પ્રકાશમાં રાખી શકાય છે.

ગ્રહણ બપોરે 1.05 વાગે શરૂ થશે, તેના બે કલાક પહેલા એટલે કે 11.05 વાગ્યા સુધી ખીરને ચંદ્રની પ્રકાશમાં રાખો, તેના પછી નહીં. ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી જ ખીરનું સેવન કરો. ગ્રહણ બપોરે 2.24 કલાકે સમાપ્ત થશે. આ પછી બીજા દિવસે સવારે સ્નાન કરીને પવિત્ર થઈને પ્રસાદ ગ્રહણ કરો.

શરદ પૂર્ણિમાના દિવસે ચોખાની ખીર બનાવવાની પરંપરા છે, પરંતુ આ વખતે ચંદ્રગ્રહણ છે અને પકવાન એટલે કે રાંધેલા ભોજનનું સેવન ગ્રહણના સમયગાળા દરમિયાન ન કરવું જોઈએ. ચોખા અનાજની શ્રેણીમાં આવે છે, તેથી આ વખતે ચોખાની ખીર ન બનાવો. તેના બદલે સાબુદાણા, મોરધન, કોળું, દૂધી વગેરેમાંથી ખીર બનાવી શકાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X