Navratri 2023: શારદીય નવરાત્રિ શરુ થતા પહેલા પૂરા કરી લો આ જરુરી કામ
Navratri 2023: આ વર્ષે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ તહેવારમાં ભક્તો નવ દિવસ સુધી સંપૂર્ણ ભક્તિભાવ સાથે દેવી દુર્ગાની સેવા કરે છે.
નવરાત્રિની ઉજવણી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તહેવારની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. ચાલો એ પણ જાણીએ કે નવરાત્રિની શરૂઆત પહેલા કયા કાર્યો પૂર્ણ કરવા જોઈએ.

1. ઘરની સફાઈ: માતાના ભક્તો નવરાત્રિની આતુરતાથી રાહ જુએ છે. નવરાત્રિ ઉત્સવ શરૂ થાય તે પહેલાં, તમારા ઘરને સારી રીતે સાફ કરો. પૂજા રૂમથી શરૂ કરીને દરેક ખૂણાને સાફ કરો. માતા સ્વચ્છ જગ્યાએ જ રહે છે.
2. ઘરને શુદ્ધ કરો: સફાઈ કર્યા પછી ઘરને શુદ્ધ કરવું પણ જરૂરી છે. સફાઈ અભિયાન પૂરું થયા પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો.
3. તામસિક ખોરાક ટાળોઃ જો તમારા ઘરમાં ફ્રિજમાં લસણ, ડુંગળી અને નૉન-વેજ રાખવામાં આવ્યા હોય તો તેને સાફ કરતા પહેલા કાઢી લો. નવરાત્રિ દરમિયાન ઘરમાં તામસિક સામગ્રી ન રાખવામાં આવે તો સારું રહેશે.
4. વાળ કાપવાઃ નવરાત્રિ દરમિયાન વાળ, નખ કાપવા અને દાઢી-મૂછ કાપવી વર્જિત માનવામાં આવે છે, તેથી શારદીય નવરાત્રિની શરૂઆત પહેલાં આ કામ કરો તો સારું રહેશે.
5. દરવાજા પર સ્વસ્તિક ચિન્હઃ નવરાત્રિની શરૂઆત પહેલા મા દુર્ગાના સ્વાગત માટે તમારા ઘરના દરવાજા પર સ્વસ્તિક ચિન્હ બનાવો. તમારા ઘરના મુખ્ય દ્વાર પર આ નિશાની બનાવો.
6. વ્રતનો સામાનઃ જો તમે નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરી રહ્યા છો તો તેની સાથે સંબંધિત ખરીદી અગાઉથી કરી લો. તમારે રાજગરાનો લોટ, મોરૈયો, સિંધવ મીઠુ, સાબુદાણા, બટાકા, મગફળી વગેરે અગાઉથી ખરીદી લેવા જોઈએ.












Click it and Unblock the Notifications
