Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Shardiya Navratri Rules: નવરાત્રિમાં આ વાતોનુ ખાસ ધ્યાન રાખો, ભૂલથી પણ આ કામ ના કરતા

Shardiya Navratri Rules: હિન્દુ સંસ્કૃતિનો સૌથી વિશેષ તહેવાર નવરાત્રિ થોડા દિવસમાં શરુ થવા જઈ રહ્યો છે. અશ્વિન મહિનાના શુક્લ પક્ષની નવરાત્રિને શારદીય નવરાત્રિ પણ કહેવામાં આવે છે, ત્યારબાદ વિજયાદશમીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. આ નવ દિવસો દેવી દુર્ગાની ઉપાસના અને અમર્યાદિત ભક્તિથી ભરેલા હોય છે.

આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થશે અને 24 ઓક્ટોબરે દશેરા સાથે સમાપ્ત થશે. આ નવ રાતોમાં માતા અંબેની આરાધના સાથે ઉપવાસ અને પૂજાનો પણ નિયમ છે. વ્યક્તિએ પોતાના વર્તન અને અમુક ક્રિયાઓનું ખાસ ધ્યાન રાખવું પડશે, જેથી ઘરે આવનાર માતા ગુસ્સે ન થાય. જાણો આ શારદીય નવરાત્રિમાં શું કરવું અને શું ન કરવું.

Shardiya Navratri Rule

ભૂલથી પણ ન કરો આ વસ્તુઓનું

તામસિક ભોજનનુ સેવન

નવરાત્રિના નવ દિવસોને સૌથી પવિત્ર દિવસોમાં ગણવામાં આવે છે અને આ દિવસોમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં માંસાહારી ખોરાક ખાવા પર પ્રતિબંધ છે. ઘરમાં દરરોજ મા દુર્ગાની પૂજા કરવાની સાથે સાથે કોઈ પણ તામસિક ખોરાક કે દારૂનું સેવન ન કરવાનું ધ્યાન રાખો.

ચામડાની વસ્તુઓનો ઉપયોગ

અસલ ચામડું પ્રાણીની ચામડીમાંથી બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં નવરાત્રિ દરમિયાન ચામડાની વસ્તુઓનો ઉપયોગ ન કરો તેનું ધ્યાન રાખો. તે અશુદ્ધ છે અને તેનો ઉપયોગ ઘરમાં નકારાત્મકતા લાવી શકે છે અને દેવી માતાને ક્રોધિત કરી શકે છે.

ખોરાકનો બગાડ ટાળો

કોઈપણ ધાર્મિક કાર્યમાં જરૂર કરતાં વધુ ભોજન બનાવવાની આપણને ટેવ હોય છે. પરંતુ નવરાત્રિ દરમિયાન ભોજનનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખો. જો વધુ પડતો ખોરાક હોય, તો તે તાજુ હોય ત્યારે તેને જરૂરિયાતમંદ અથવા માતા ગાયને ખવડાવો.

નખ અને વાળ ન કાપો

હિંદુ ધાર્મિક માન્યતા મુજબ કોઈપણ વ્રત દરમિયાન નખ કે વાળ ન કાપવા જોઈએ. નવરાત્રી એ નવ દિવસના ઉપવાસનો તહેવાર પણ છે, તેથી આ સમયગાળા દરમિયાન વાળ અને નખ કાપવાનું પણ ટાળો.

નવરાત્રિ દરમિયાન કરો આ કામ

નિયમિત સ્નાન

નવરાત્રિની નવ રાત પવિત્રતાનું પ્રતિક છે. આ સમયગાળા દરમિયાન, ઘરની સ્વચ્છતા સાથે, શારીરિક સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન રાખો. દરરોજ સવારે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો અને દેવી માતાની પૂજા કરો અને તેમનું ધ્યાન કરો.

ગુસ્સા પર નિયંત્રણ

નવરાત્રિના પવિત્ર નવ દિવસો દરમિયાન વ્યક્તિએ પોતાના વર્તન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું જોઈએ. આ સમય દરમિયાન ક્રોધ, લોભ, ઈર્ષ્યા, આસક્તિ, વાસના, અસત્ય જેવા વ્યવહારથી દૂર રહેવું જોઈએ અને મનમાં આવા વિચારો પણ ન લાવવા જોઈએ.

પૂજાના નિયમોનું પાલન કરો

નવરાત્રિના તમામ નવ દિવસોમાં મા દુર્ગાની પૂજાના નિયમોનું યોગ્ય રીતે પાલન કરો. જો તમે અખંડ જ્યોત કરતા હોય તો નવ દિવસ સુધી ઘરને ક્યારેય ખાલી ન રાખો. આ સાથે સવાર-સાંજ સાચી ભક્તિ સાથે દેવી માતાની પૂજા કરો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X